Monday, July 21, 2025
Google search engine
HomeNewsNationalએરપોર્ટ પર સ્ક્રિનિંગમાં બેદરકારીની શક્યતા નથીઃ સ્વાસ્થ્ય મંત્રી

એરપોર્ટ પર સ્ક્રિનિંગમાં બેદરકારીની શક્યતા નથીઃ સ્વાસ્થ્ય મંત્રી

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનું બીજું ચરણ સોમવારથી શરુ થયું છે. લોકસભામાં આજે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે સ્ક્રિનિંગમાં બેદરકારીની કોઈ શક્યતા જ નથી. 30 એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક રાજ્યમાંથી રોજ હેલ્થ રિપોર્ટ મંગાવાઈ રહ્યા છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. ઈરાનમાં પણ લેબ બનાવવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દેશમાં લોકોને સંકટમાં ન નાંખી શકીએ એટલે કોરોનાને લઈને જાગૃતતા લાવવામાં મદદ કરો. 51 લેબમાં કોરોનાને લઈને ટેસ્ટ ચાલી રહ્યા છે. ઈટલીમાં ફસાયેલા વિદ્યાર્થીઓના સેમ્પલ લાવવામાં આવી રહ્યા છે.

લોકસભામાં કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે, એરપોર્ટ પર બહારથી આવેલા યાત્રીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવે છે. કેટલાક લોકોને તે જ સમયે અલગ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જે લોકો પર શંકા હોય છે તેમનો તમામ ડેટા NCDC પાસે દિલ્હી મોકલી દેવામાં આવે છે અને દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવે છે.

સરકારે કહ્યું કે, કોરોના વાયરસના કારણે ફેલાયેલા ડર વચ્ચે એરપોર્ટ પર આવનારા વિદેશી યાત્રીઓના આંકડામાં ઘટાડો નોંધાયો છે. કોરોના વાયરસના કારણે આ આંકડો 70,000 થી 62,000 પર પહોંચી ગયો છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે લોકસભામાં કહ્યું કે, કોરોના વાયરસને જોતા વિદેશોથી જલ્દી જ ભારતીયોને પાછા લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, મેડિકલ ટીમને વિદેશ મોકલવામાં આવશે. ઈરાનમાં તમામ ભારતીયો સુરક્ષિત છે. ઈરાનમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે તેમના પરિજનોએ મુલાકાત કરી. વિદેશમાં રહેનારા ભારતીય એમ્બેસીનો સંપર્ક કરે.

ઉલ્લેખનીય છે કે સત્રના પ્રથમ દિવસથી દિલ્હી હિંસાએ બંન્ને સદનોની કાર્યવાહીને પ્રભાવિત કરવામાં આવી છે. વિપક્ષનો વિરોધ શાંત થવાનું નામ જ લઈ રહ્યો નથી. લોકસભામાં તો કોંગ્રેસી સાંસદોને સપ્સેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. સાથે જ આ વિરોધની તપાસ માટે કમીટીની રચના પણ કરવામાં આવી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, કોરોના વાયરસના મુદ્દે સંસદને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવાનો પ્રસ્તાવ નથી. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં કહ્યું કે, આ આંકડામાં વધારે ઘટાડો આવી શકે છે અને આ આશરે 40,000 સુધી પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular