Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalપેન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા માટે 31 માર્ચ સુધીનો જ સમય

પેન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા માટે 31 માર્ચ સુધીનો જ સમય

નવી દિલ્હીઃ પર્મન્ટ અકાઉન્ટ નંબર (PAN)ને તમે તમારા આધાર કાર્ડથી લિન્ક નથી કર્યું તો એ 31 માર્ચ, 2020થી એ નકામું થઈ જશે. આવકવેરા વિભાગે આ માહિતી આપી હતી. પેન કાર્ડ અને આધાર કાર્ડથી લિન્ક કરવાની સમયમર્યાદા ભૂતકાળમાં અનેક વાર વધારવામાં આવી છે. હવે હાલ તેની વર્તમાન ડેડલાઇન 31 માર્ચ, 2020 નક્કી કરવામાં આવી છે. 27 જાન્યુઆરી, 2020 સુધી દેશમાં 30.75 કરોડ પેન કાર્ડ આધાર કાર્ડથી લિન્ક થઈ ચૂક્યા છે. જોકે 17.58 કરોડ પેન કાર્ડ હજી પણ આધાર કાર્ડ સાથે લિન્ક થવાના બાકી છે.સેન્ટ્રલ બેન્ક ઓફ ડિરેક્ટ ટેક્સીસે એક નિવેદનમાં કહ્યું છે કે જે વ્યક્તિને 1 જુલાઈ, 2017 સુધી પેન કાર્ડ આપવામાં આવ્યું છે. તેણે તેનું આધાર કાર્ડ કલમ 139 એએની પેટા કલમ (2) હેઠળ લિન્ક કરાવવાની જરૂરત છે. જે વ્યક્તિ 31 માર્ચ, 2020 સુધી આવું નહીં કરે તો તેનું પેન કાર્ડ નિયત તારીખ પછી નકામું થઈ જશે.

સીબીડીટીએ જાહેરનામું બહાર પાડીને આવકવેરાના નિયમોમાં સંશોધન કર્યું છે, જેમાં પેન કાર્ડને બંધ કરવાની જોગવાઈ છે. આ જોહેરનામામાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિનું પેન કાર્ડ બંધ થશે અને એની માહિતી નહીં આપવા બદલ આઇટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, પણ જે લોકો પેન કાર્ડને 31 માર્ચ, 2020 સુધીમાં આધારકાર્ડથી લિન્ક કરી લેશે તો તેનું પેન કાર્ડ કાર્યરત રહેશે.

સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર, 2018માં આધારકાર્ડને કાયદેસર તરીકે માન્યતા આપી હતી. એ સાથે કોર્ટે આવકવેરા ભરવા માટે પેન કાર્ડ માટે પણ આધારકાર્ડ જરૂરી કર્યું હતું.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular