Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalરાજ્યસભામાં વિપક્ષ સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની શક્યતા

રાજ્યસભામાં વિપક્ષ સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની શક્યતા

નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર જારી છે, જે ઘણું વધારે હંગામાવાળું રહ્યું છે. એ દરમ્યાન સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે તીખો વિચારવિમર્શ થયો જોવા મળ્યો હતો. જોકે સંસદનાં બંને ગૃહો સાંજે પાંચ વાગ્યે સ્થગિત થાય એવી શક્યતા છે. જોકે સંસદનું ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલવાનું છે.

રાજ્યસભામાં સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પણ વિપક્ષ લાવે એવી શક્યતા છે. જગદીપ ધનખડેની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ માટે 14 દિવસોની નોટિસ આપવી પડે છે. જગદીપ ધનખડેની વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ માટે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના રૂમમાં સાંસદોના હસ્તાક્ષર કરાવવામાં આવી રહ્યા છે.

રાજ્યસભામાં શુક્રવારે કાર્યવાહી દરમ્યાન સભાપતિ જગદીપ ધનખડે SP સાંસદ જયા બચ્ચન પર ભડકી ગયા હતા. તેમણે જયા બચ્ચન પર ટિપ્પણી કરી હતી કે આ પ્રકારના નિવેદનને તેઓ બિલકુલ સાંખી નહીં લે. સંસદની કાર્યવાહી દરમ્યાન જયા બચ્ચને સભાપતિ ધનખડેના ટોન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમારો ટોન ઠીક નથી. તેમણે કહ્યું હતું કે હું એક કલાકાર છું. બોડી લેંગવેજ સમજું છું. એક્સપ્રેશન સમજું છું. સર, મને માફ કરજો, પણ તમારો ટોન ઠીક નથી, એ સ્વીકાર્ય નથી. આપણ સહ કર્મચારી છીએ. ભલે, તમે સભાપતિની ખુરશી પર બેઠા છો. જયા બચ્ચનની આ ટિપ્પણી પર ધનખડે ભડકી ગયા હતા. જેથી જયા બચ્ચને માફીની માગ કરી હતી.

જયા બચ્ચન પર સભાપતિ ધનખડના ભડકવા પર વિરોધ પક્ષોના સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો. વિપક્ષના સાંસદોએ કહ્યું હતું કે તેઓ (જયા બચ્ચન) સંસદનાં સિનિયર સભ્ય છે. તમે તેમને સેલિબ્રિટી કેવી રીતે કહી શકો છો. એ દરમ્યાન વિપક્ષના સાંસદોએ દાદાગીરી નહીં ચાલે જેવો સૂત્રોચ્ચાર કર્યો હતો અને સંસદમાંથી વોકઆઉટ પણ કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular