Thursday, June 19, 2025
Google search engine
HomeNewsNationalનિર્ભયા કેસના વકીલો જ હાથરસનો કેસ લડશે

નિર્ભયા કેસના વકીલો જ હાથરસનો કેસ લડશે

નવી દિલ્હીઃ હાથરસમાં કથિત રીતે એક દલિત યુવતીની સાથે ગેંગરેપ અને એના પછી મૃતદેહને પરિવારની મરજીની વિરુદ્ધ પોલીસે એને અગ્નિદાહ આપતાં લોકોમાં ભારે આક્રોશ છે, ત્યારે બીજી બાજુ રાજકીય ધાંધલધમાલ મચી છે. આ મામલે અલાહાબાદ હાઈકોર્ટે આ કેસની વિગતો લેતાં અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા લેવામાં આવેલાં પગલાં છતાં લોકોમાં ભારે ગુસ્સો પ્રવર્તે છે.

આ મામલે હવે કાનૂની પેરવી રૂપે હાથરસના કથિત ગેંગરેપના આરોપીઓ દ્વારા વકાલત એપી સિંહ કરશે, જેમણે નિર્ભયાના બળાત્કારીઓને કોર્ટમાં બચાવ કર્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન માનવેન્દ્ર સિંહ દ્વારા લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે હાથરસ કેસના આરોપીઓનો કેસ એપી સિંહ લડશે. એની સાથે એપી સિંહની ફી અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા દ્વારા એકત્ર કરવામાં આવશે.

આ પત્રમાં વધુ કહેવામાં આવ્યું છે કે હાથરસ કેસ એસસી-એસટી કાનૂનનો સંપૂર્ણપણે દુરુપયોગ કરીને સવર્ણ સમાજને ખાસ કરીને રાજપૂતને બદનામ કરવામાં આવી રહ્યો છે. એટલા માટે હાથરસ કેસ મામલે ન્યાય મેળવવા માટે એપી સિંહને વકીલ નિયુક્ત કરવામાં આવી રહ્યા છે.

બીજી બાજુ, નિર્ભયાના દોષીઓને ફાંસીની સજા અપાવનાર એડવોકેટ સીમાસમૃદ્ધિ કુશવાહા હવે હાથરસમાં દલિત યુવતીની સાથે કથિત સામૂહિક ગેન્ગરેપ અને હત્યાને મામલે પીડિત પરિવારનો કેસ લડશે. આના માટે પીડિત પરિવારે પણ આ માટે સહમતી આપી છે અને જરૂરી દસ્તાવેજ પર હસ્તાક્ષર પણ કરી દીધા છે.

14 સપ્ટેમ્બરે 19 વર્ષીય દલિત યુવતીની સાથે આ હીચકારી ગેન્ગરેપની ઘટના બની હતી. તેની હાલત બગડતાં તેને દિલ્હીની સફદરજંગમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી, પણ તેણે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા.

નિર્ભયાના કેસના વકીલો ફરી સામસામો

નિર્ભયાના દોષીઓ વતી અને સામે આરોપીઓના વકીલ ફરી એક વાર આમનેસામને હશે. નિર્ભયા કેસના વકીલો ફરી એક વાર સામસામે કેસ લડવા માટે બંને બાજુથી નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ ઘટના પછી પોલીસે આ વિસ્તારમાં કલમ 144 લગાવતાં મિડિયા સહિત બધાની એન્ટ્રી પર એ કહેતાં પ્રતિબંધ મૂકી દીધો હતો કે SIT તપાસ ચાલી રહી છે. ત્યાર બાદ યોગી સરકાર દ્વારા આ વિસ્તારમાં ઇન્સ્પેક્ટર, DSP અને SPને સપસ્પેન્ડ કરી દીધા હતા અને CBIની તપાસની ભલામણ કરવામાં આવી હતી. જોકે DM પર કોઈ કાર્યવાહી ના થવાને કારણે ચારે બાજુથી સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. હાથરસના આરોપીઓના બચાવમાં કેટલીય સભા થઈ અને કહેવામાં આવી રહ્યું છે કે તેમને ફસાવવામાં આવી રહ્યા છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular