Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalનાણાકીય વર્ષમાં કોઈ ફેરફાર નહીં થાયઃ કેન્દ્ર

નાણાકીય વર્ષમાં કોઈ ફેરફાર નહીં થાયઃ કેન્દ્ર

 નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય વર્ષની સમયમર્યાદામાં કોઈ વધારો કરવામાં નહીં આવે અને એ નિર્ધારિત સમય પર જ શરૂ થશે. સરકારે કહ્યું છે કે મિડિયામાં કેટલાક ખોટા સમાચાર ચાલી રહ્યા છે કે નાણાં વર્ષની સમયમર્યાદા વધારવામાં આવી છે. 30 માર્ચ, 2020 ભારત સરકારે એક નોટિફિકેશન જારી કર્યું હતું.

આમાં ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટમાં કેટલાંક સંશોધન કરવામાં આવ્યાં હતાં, જેને મિડિયાએ ખોટી રીતે ચલાવી હતી. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે નાણીય વર્ષની સમયમર્યાદામાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો.

નાણાં મંત્રાલયે કહ્યું હતું કે નાણાં  મંત્રાલયના રેવેન્યુ ડિપાર્ટમેન્ટે 30 માર્ચે એક નોટિફિકેશન જારી કર્યું હતું, જે ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટમાં કેટલાંક સંશોધનોથી સંબંધિત છે. જેનો ઉદ્દોશ સ્ટોક એકસ્ચેન્જો દ્વારા સિક્યોરિટી માર્કેટ લેવડદેવડ અથવા સ્ટોક એક્સચેન્જ ડિપોઝિટરી દ્વારા ક્લિયરિંગ કોર્પોરેશનથી થનારી લેવડદેવડથી સ્ટેમ્પ ડ્યુટી સંગ્રહની પ્રણાલીને સક્ષમ બનાવવાની છે.

આ બદલાવ પહેલી એપ્રિલ, 2020થી અમલમાં આવશે, એના માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જોકે હાલની સ્થિતિને જોતાં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે એને લાગુ કરવાની તારીખ હવે એક જુલાઈ, 2020 કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular