Saturday, June 28, 2025
Google search engine
HomeNewsNationalNMCએ માત્ર જેનેરિક દવાઓ લખવાના નિયમો પર પ્રતિબંધ મૂક્યો

NMCએ માત્ર જેનેરિક દવાઓ લખવાના નિયમો પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મેડિકલ પંચ (NMC)એ હાલમાં ડોક્ટરો માટે જેનેરિક દવાઓ લખવી ફરજિયાત કરી હતી, પરંતુ હવે પંચે આ નિર્ણય પર તત્કાળ અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. હવે ડોક્ટરો જેનેરિક દવાઓ સિવાય અન્ય દવાઓ પણ પ્રિસ્ક્રાઇબ કરી શકશે.

આ સાથે IMA અને IPAએ કહ્યું હતું કે ડોક્ટરોને ફાર્મા કંપનીઓ દ્વારા પ્રાયોજિત સંમેલનોમાં ભાગ લેવા માટે રોકવાવાળા નિયમ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. એમણે એ પણ માગ કરી હતી કે સંગઠનોએ NMCના દિશા-નિર્દેશોના દાયરામાંથી રાહત અપાવવી જોઈએ.

આ સંબંધે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA), ફેડરેશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિયેશન (FORDA) એ કેન્દ્ર સરકાર અને આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાનો સંપર્ક સાધ્યો હતો, જે પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વાસ્તવમાં ડોક્ટર્સ NMCના RMP રેગ્યુલેશન, 2023નો વિરોધ કરતાં કહ્યું હતું કે ભારતમાં જેનેરિક દવાઓની ગુણવત્તા યોગ્ય નથી અને આ પ્રકારના નિયમોથી દર્દીઓના જીવને જોખમ થઈ શકે છે.

NMCએ એક નોટિફિકેશનમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય મેડિકલ પંચ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર નિયમ, 2023ને તત્કાળ અસરથી સ્થગિત કરવામાં આવે છે. રાષ્ટ્રીય મેડિકલ પંચ દ્વારા આગામી નોટિફિકેશન જારી થવા સુધી આ નિયમ અમલમાં નહીં આવે.

જેનેરિક દવાઓ અને અન્ય દવાઓ વચ્ચે ભેદને હોવા વિશે તેમણે કહ્યું હતું કે બ્રાન્ડેડ જેનેરિક દવાઓ બનાવતી કંપનીઓ ઊંચા નફાના માર્જિન તો રાખે છે, પણ આ કંપનીઓ USFDAની પ્રક્રિયાનું પાલન નથી કરતી. વળી, આ કંપનીઓ ભારતના વધુ હળવા ‘શિડ્યુલ M’ના નિયમોનું પણ પાલન નથી કરતી.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular