Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalનીતીશકુમારે મોદીને પગે લાગતાં કહ્યું, આમતેમ નહીં જઈએ રાખો વિશ્વાસ

નીતીશકુમારે મોદીને પગે લાગતાં કહ્યું, આમતેમ નહીં જઈએ રાખો વિશ્વાસ

નવી દિલ્હીઃ NDA સંસદીય દળની બેઠકમાં ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમારની હાજરીમાં વડા પ્રધાન મોદીને સંસદીય દળના નેતા પસંદ કરી લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં બિહારના મુખ્ય મંત્રી અને JDUના પ્રમુખ નીતીશકુમારે મોદીને લોકસભાના નેતા, ભાજપ અને NDA સંસદીય દળના નેતાના પ્રસ્તાવનું સમર્થનકરતાં જોરદાર ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમારી પાર્ટી JDU મોદીને વડા પ્રધાનપદ માટે ટેકો આપે છે. તેમણે દેશની સેવા કરી છે અને અમે સંપૂર્ણ રીતે તેમની સાથે લોકો અર્થહીન બોલી રહ્યા છે.

NDAની બેઠક પછી નીતીશકુમાર વડા પ્રધાન મોદીને પગે લાગ્યા હતા. એનો વિડિયો સામે આવ્યો છે. જોકે વડા પ્રધાન મોદીએ તેમને પગે લાગતાં અટકાવ્યા હતા. નીતીશકુમારે આ દરમ્યાન કહ્યું હતું કે અમે લોકો ખૂલીને વડા પ્રધાન મોદીની સાથે છે, તેઓ જેમ કહેશે, એમ જ થશે.

નીતીશકુમારે ભાષણ દરમ્યાન કંઈક એવું કહી દીધું કે વડા પ્રધાન પણ ખુલ્લી રીતે હસી પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ બહુ ખુશીની વાત છે કે 10 વર્ષની તો વડા પ્રધાન છે અને ફરી વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમણે દેશની સેવા કરી છે અને અપેક્ષા છે કે આગામી સમયમાં એ બધાં કાર્ય પૂરાં કરશે. આગામી સમયમાં તમે આવો તો જે લોકો આડાઅવડા જીતી ગયા છે, એ બધા આવતી વખતે હારશે. અમને પૂરો વિશ્વાસ છે. આ વાત સાંભળીને વડા પ્રધાન મોદી જોરથી હસી પડ્યા હતા.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular