Monday, June 9, 2025
Google search engine
HomeNewsNational"તારીખ પે તારીખ" : શા માટે ફાંસી આપવામાં થઈ રહ્યું છે મોડું?

“તારીખ પે તારીખ” : શા માટે ફાંસી આપવામાં થઈ રહ્યું છે મોડું?

નવી દિલ્હીઃ નિર્ભયા કાંડના દોષિતોને આજે ફાંસી થવાની હતી પરંતુ તે ટળી ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે નિર્ભયાના દોષિત વિનય શર્માની દયા અરજી ફગાવી દીધી છે. ચારેય દોષિતોમાંથી આ બીજી દયા અરજી છે કે જે રાષ્ટ્રપતિને મોકલવામાં આવી હતી. આ પહેલા મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ ફગાવી ચૂક્યા છે. ત્યારે દોષિતોને થનારી ફાંસીની સજા ફરીએકવાર ટળી ગઈ છે. પટિયાલા હાઉસ કોર્ટે આવતા આદેશ સુધી ફાંસી ટાળી દીધી છે.

નિર્ભયા ગેંગરેપ અને હત્યાના ચાર દોષિતોને ફાંસી લગાવવાના લગભગ 12 કલાક પહેલા દિલ્હીની એક કોર્ટે શુક્રવારે તિહાડ જેલ પ્રશાસનને આ દોષિતોને આગામી આદેશ સુધી ફાંસી ન આપવા જણાવ્યું હતું. કોર્ટે શુક્રવારે તિહાડ જેલના અધિકારીઓને દોષિતો વિરુદ્ધ જારી ડેથ વોરન્ટનો અમલ હાલ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

નિર્ભયાના દોષિતોની આ બીજી વખત ડેથ વોરંટ ટળ્યુ છે. પહેલી વખત 7 જાન્યુઆરીએ ફાંસીની સજા ટળી હતી. ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી આપવાનું ડેથ વોરંટ ઇશ્યુ કરાયુ હતુ. જેના પર 17 જાન્યુઆરીએ રોક લગાવવામાં આવી છે. ફરીથી ફેબ્રુઆરીમાં ફાંસી આપવા માટે બીજુ વોરંટ ઇશ્યુ થયુ જેના પર શુક્રવારે ફરી રોક લગાવવામાં આવી છે.

દોષિતો તરફથી આ વખતે દિલ્હી પ્રિઝન રૂલ્સનો હવાલો અપાયો નિર્ભયાના દોષિતોના વકીલ એ.પી. સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી ફાંસીની તારીખ ફરી એક વખત લંબાવવા માટે માંગણી કરી છે. આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દોષિતો તરફથી આ વખતે દિલ્હી પ્રિઝન રૂલ્સનો હવાલો આપવામાં આવ્યો છે.

નિર્ભયાના ચારેય દોષિતોના વકીલ એ.પી. સિંહે જણાવ્યું કે દિલ્હી પ્રિઝન રૂલ્સ મુજબ ચાર પૈકી કોઇ પણ દોષિતોને ત્યાં સુધી ફાંસી ન આપી શકાય કે જ્યાં સુધી આખરી દોષિત દયા અરજી સહિત તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ ન કરી લે.

આ મામલે જજ એન.વી.રમન્ના, અરૂણ મિશ્રા, આર.એફ. નરીમ, આર ભાનુમતિ અને અશોક ભૂષણની પાંચ જજોની ખંડપીઠે સુનાવણી હાથ ધરી છે. મહત્વનું છે કે આ કેસમાં અન્ય બે દોષિતો વિનય શર્મા અને મુકેશ સિંહે દાખલ કરેલી અરજીઓ સુપ્રીમ કોર્ટ પહેલા જ ફગાવી ચૂકી છે. જે બાદ વિનયે ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરી હતી. તિહાડ જેલે વિનય સિવાય બાકીના 3 નરાધમોને ફાંસી આપવાની તૈયારી પણ દર્શાવી છે. જલ્લાદ પવન પણ તિહાડ જેલમાં પહોંચી ચૂક્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular