Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalદેશમાં 91-દિવસ બાદ 50,000થી નીચે કોરોનાના નવા કેસો

દેશમાં 91-દિવસ બાદ 50,000થી નીચે કોરોનાના નવા કેસો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 42,640 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં 91 દિવસો પછી કોરોનાના દૈનિક કેસો 50,000ની નીચે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1167 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,99,77,861 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,89,302 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,89,26,038  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 81,839 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,62,521એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.49 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.30 ટકા થયો છે.

 છેલ્લા 24 કલાકમાં 16,64,360 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.21 ટકા છે.દેશમાં 28.87 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 28,87,66,201 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ભારતે ગઈ કાલે રેકોર્ડ બનાવતાં એક દિવસમાં કુલ 86.16 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ગઈ કાલે 86,16,373 લોકોને રસી આપવામાં આવી હતી. વિશ્વમાં એક દિવસમાં રસીના ડોઝનીઆ સૌથી ઊંચી સંખ્યા છે.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular