Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsNationalમધ્ય પ્રદેશ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીઃ જાણો 10 મોટી વાતો

મધ્ય પ્રદેશ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીઃ જાણો 10 મોટી વાતો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં મધ્યપ્રદેશમાં શક્તિ પરીક્ષણ મામલાને લઈને આજે ફરીથી સુનાવણી છે. ગઈકાલે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે બાગી ધારાસભ્યો સાથે જસ્ટિસની ચેમ્બરમાં મુલાકાત કરવાની રજૂઆતને ઠુકરાવતા કહ્યું કે, વિધાનસભા જવું કે ન જવું તે ધારાસભ્યો પર નિર્ભર છે પરંતુ તેમને બંધક બનાવીને ન રાખી શકાય. જસ્ટિસ ધનંજય વાય ચન્દ્રચૂડ અને ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાની પીઠે કોંગ્રેસના 22 જેટલા બાગી ધારાસભ્યોના રાજીનામાના કારણે મધ્યપ્રદેશમાં ઉત્પન્ન રાજનૈતિક સંકટને લઈને દાખલ અરજીઓ પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી અને કહ્યું કે, તે વિધાનસભા દ્વારા આ નિર્ણય કરવા મામલે દખલ નહી કરે કોની પાસે સદનનો વિશ્વાસ છે પરંતુ તેણે એ સુનિશ્ચિત કરવાનું છે કે આ 16 ધારાસભ્યો સ્વતંત્ર રુપથી પોતાના અધિકારનો ઉપયોગ કરે. પીઠે આ ધારાસભ્યો સાથે ચેમ્બરમાં મુલાકાત કરવાની વાતને એ કહેતા ફગાવી દીધી કે આવું કરવું યોગ્ય નહી હોય.

  1. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના 9 જેટલા ધારાસભ્યો સાથે જ મધ્યપ્રદેશ કોંગ્રેસ ધારાસભ્ય દળની અરજીઓ પર સુનાવણી ગુરુવારના રોજ સવારે સાડા દસ વાગ્યા સુધી માટે સ્થગિત કરી દીધી છે. હવે આજે આ મામલે ફરીથી સુનાવણી છે.
  2. બાગી ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ મનિંદર સિંહે કોર્ટને કહ્યું હતું કે, એ વાત ખોટી છે કે ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે અને જબરદસ્તીના પણ તમામ આરોપો ખોટા છે. સિંહે કહ્યું કે, તેમણે પોતાની મરજીથી રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષને તેમના રાજીનામા સ્વીકારવા માટે નિર્દેશ આપવામાં આવ્યો.
  3. ભાજપે જોર આપતા કહ્યું કે, તે 16 બાગી કોંગ્રેસ ધારાસભ્યોને લાવી શકે છે અને ચેમ્બરમાં જસ્ટિસ ચંદ્રચૂડ અને ગુપ્તા સામે રજૂ કરી શકે છે અને જસ્ટિસ ધારાસભ્યોના વિચારો વિશે માહિતી મેળવી શકે છે.
  4. કોર્ટમાં કોંગ્રેસ દ્વારા વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે, આજે અમે એક ગજબ પ્રકારની સ્થિતિમાં છીએ. રાજ્યની જનતાએ કોંગ્રેસ પર વિશ્વાસ કર્યો છે. સૌથી મોટી પાર્ટી વિશ્વાસ મત એ દિવસે જીત્યો હતો. 18 મહિલા સ્થિર સરકાર કામ કરી રહી હતી.
  5. કોંગ્રેસે આગળ કહ્યું કે, સ્પીકરને એ દર્શાવવાનું રહેશે કે રાજીનામા સ્વૈચ્છિક છે કે નહી. દવેએ કહ્યું કે, ધારાસભ્યોને કીડનેપ કરવામાં આવ્યા છે. રાજ્યપાલે ફ્લોર ટેસ્ટનો જે આદેશ મોકલ્યો છે તે પૂર્ણ રીતે અસંવૈધાનિક છે.
  6. કોંગ્રેસે ગવર્નર પર સવાલ ઉઠાવતા તેમના પત્રનો હવાલો આપ્યો અને કહ્યું કે, ગવર્નર એવું કેવી રીતે કહી શકે છે અમારી પાસે બહુમત નથી જ્યારે બહુમત પરીક્ષણ પણ થયું નથી. કોઈપણ વિશ્વાસમત 16 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં થવો જોઈએ.
  7. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, જ્યારે સ્પીકરે 6 રાજીનામાનો સ્વીકાર કર્યો તો શું તેમણે તમામ 22 ધારાસભ્યો પર પોતાના વિવેકનો ઉપયોગ કર્યો. આ મામલે દવેએ કહ્યું કે, આજે સૌથી મૂળભૂત મુદ્દો એ છે કે રાજ્યપાલ એક ફ્લોર ટેસ્ટ માટે કેવી રીતે નિર્દેશિત કરી શકે છે? તેઓ આ નક્કી ન કરી શકે. રાજીનામા પર નિર્ણય લેવા માટે રાજ્યપાલની કોઈ ભૂમિકા નથી.
  8. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા મુકુલ રોહતગીએ તમામ બાગી ધારાસભ્યોને જસ્ટિસની ચેમ્બરમાં રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો જેનો કોર્ટે અસ્વિકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, વૈકલ્પિક ઉપાય અંતર્ગત કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ આજે આ બાગી ધારાસભ્યો સાથે મુલાકાત કરી શકે છે અને તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે.
  9. મુકુલ રોહતગીએ કહ્યું કે, કોંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામાં, જેમાંથી 6 રાજીનામાનો સ્વિકાર કરવામાં આવ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકારને એક દિવસ પણ સત્તામાં ન રહેવા દેવી જોઈએ. રોહતગીએ આરોપ લગાવ્યો કે 1975માં ઈમરજન્સી લગાવીને લોકતંત્રની હત્યા કરનારી પાર્ટી હવે આંબેડકરના ઉચ્ચ સિદ્ધાંતોના ઉદાહરણો આપી રહી છે.
  10. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી આવાસ પર મુખ્યમંત્રી કમલનાથની અધ્યક્ષતામાં ગઈકાલે રાત્રે કોંગ્રેસ ધારાસભ્યોના દળની બેઠક થઈ હતી. આ બેઠકમાં બેંગ્લોર ભાજપ દ્વારા બંધક બનાવવામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુલાકાત કરવા ગયેલા કોંગ્રેસના નેતાઓને કર્ણાટક પોલીસ દ્વારા તેમને મળતા રોકવામાં આવ્યા, અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો અને બળપૂર્વક એરેસ્ટ કરવામાં આવ્યાને લઈને સર્વસંમતિથી નિંદા પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular