Friday, June 20, 2025
Google search engine
HomeNewsNationalનવેમ્બર પછી કોરોનાના સૌથી વધુ નવા કેસો

નવેમ્બર પછી કોરોનાના સૌથી વધુ નવા કેસો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 47,262 નવા કેસ સામે આવ્યા છે, પાછલા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 16 ટકાનો વધારો થયો છે. પાછલા નવેમ્બર પછી દૈનિક ધોરણે નોંધાતા કેસોમાં આ છેલ્લા 24 કલાકમાં આ સૌથી વધુ આંકડો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 275 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,17,34,058 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,60,441 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,12,05,160  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 23,907 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,68,457 પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.49 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે.

 દેશમાં 5.08 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 5,08,41,286 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 23,46,692 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular