Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsNationalત્રણથી વધુ બાળકોને સરકારી યોજનાનો લાભ નહીં

ત્રણથી વધુ બાળકોને સરકારી યોજનાનો લાભ નહીં

ગૌહાટીઃ આસામમાં રાજ્ય સરકારે વસ્તી નિયંત્રણ માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. આસામ સરકારે સરકારી યોજનાઓનો લાભ માત્ર નાના પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગુવાહાટીમાં આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે મહિલાઓ માટે મહિલા આંત્રપ્રિન્યોરશિપ અછોની યોજના શરૂ કરી હતી.

મુખ્યમંત્રી સરમાએ પત્રકારોને જણાવ્યું હતું કે આ યોજના હેઠળ રાજ્યમાં સ્વ-સહાય જૂથોની 39 લાખ મહિલાઓને ત્રણ વર્ષમાં ત્રણ તબક્કામાં યોજના હેઠળ વ્યવસાય કરવા માટે કેટલીક શરતો સાથે નાણાકીય સહાય આપવામાં આવશે. તેના માટે 145 બિઝનેસ મોડલ પસંદ કરવામાં આવ્યા છે. આસામ સરકાર દ્વારા ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકો માટે નવી નાણાકીય સહાય યોજના અમુક શરતો સાથે લવાઈ છે, જેમાં તેઓના બાળકોની સંખ્યાની મર્યાદાનો સમાવેશ થાય છે. આ શરતો અનુસાર જનરલ અને ઓબીસી કેટેગરીની મહિલાઓ જો આ યોજનાનો લાભ મેળવવા માંગતી હોય તો તેમના ત્રણથી વધુ બાળકો ન હોવાં જોઇએ. આ સાથે અનુસૂચિત જનજાતિ (ST) અને અનુસૂચિત જાતિ (SC) મહિલાઓ માટે આ મર્યાદા ચાર બાળકોની રહેશે.

મુખ્ય મંત્રીએ મુખ્યમંત્રી મહિલા સાહસિકતા અભિયાન (MMU)ની જાહેરાત કરી. આ જાહેરાત 2021માં તેમની એ જાહેરાતને અનુરૂપ છે કે રાજ્ય સરકાર ચોક્કસ રાજ્ય-ભંડોળવાળી યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે બે-બાળક નીતિ અપનાવશે. જોકે એમએમયુએ યોજના માટેનાં ધોરણો હાલ પૂરતાં હળવાં કરાયાં છે. મોરાન, મોટોક અને ચાઈ આદિવાસીઓ જે એસટીનો દરજ્જો માગી રહ્યા છે તેમની સામે પણ ચાર બાળકોની મર્યાદા લાદવામાં આવી છે.

આ યોજનાનો ઉદ્દેશ ગ્રાણીણ હિસ્સાઓમાં ના ઉદ્યોગ સાહસિકોને આગળ વધારવાનો છે. એનુ લક્ષ્ય પ્રત્યેક સભ્ય માટે રૂ. એક લાખની વાર્ષિક આવક રાખવાનું છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular