Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNational22મીએ જનતા કરફ્યુની મોદીની અપીલ

22મીએ જનતા કરફ્યુની મોદીની અપીલ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે આઠ વાગ્યે વિશ્વમાં પ્રસરેલા કોરોના વાઇરસ અંગે દેશવાસીઓને રાત્રે આઠ કલાકે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે  હું બધા દેશવાસીઓ પાસે કશુંક માંગવા આવ્યો છું. મને તમારા આવનાર કેટલાક સપ્તાહ જોઈએ છે.  આ ઉપરાંત તેમણે 22 માર્ચે રવિવારે સવારે સાત કલાકથી રાત્રે નવ કલાક સુધી જનતા કરફ્યુનું આહવાન કર્યું હતું.

મોદીએ દેશવાસીઓને જે સંબોધન કર્યું, એ નીચે મુજબ છેઃ-

  • વિશ્વ આખું એક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે
  • દેશ સામે કોરોના વાઇરસનું સંકટ બહુ મોટું છે
  • સામાન્ય રીતે પ્રાકૃતિક આફત જેતે દેશ પર સીમિત હોય છે
  • કોરોનાએ માનવજાતિને સંકટમાં નાખી છે
  • દેશવાસીઓએ કોરોનાથી બરાબર મુકાબલો કર્યો છે
  • દેશવાસીઓએ સજાગ રહેવું જરૂરી છે
  • દેશવાસી પાસે મારે કંઈક માગવું છે
  • દેશવાસીઓ પાસેથી મારે કેટલાંક સપ્તાહ જોઈએ છે
  • કેન્દ્ર સરકાર કોરોનાને લીધેલી સર્જાયેલી સ્થિતિ પર નજર છે
  • ભારત એક વિકાસશીલ દેશ છે
  • કોરોનાનું સંકટ કોઈ સામાન્ય નથી
  • મોટા-મોટા દેશો કોરોના વાઇરસથી પ્રભાવિત છે
  • દેશવાસીઓએ આ રોગચાળા સામે સંકલ્પ દ્ઢ કરવો પડશે
  • કેન્દ્ર-રાજ્યોની ગાઇડલાઇન્સનું પૂરેપૂરું પાલન
  • આપણે સંકલ્પ લેવો પડશે કે આપણે સ્વસ્થ તો જગત સ્વસ્થ
  • ભીડથી બચવાનો સંકલ્પ કરવાનો છે અને ઘરથી ના નીકળવાનો સંકલ્પ
  • બજારમાં જવાનું ટાળવું જોઈએ, જો જરૂરી હોય તો જ નીકળવું
  • મને કંઈ નહીં થાય એ વિચાર ખોટો છે.
  • ઘરમાં 60થી 65 વયના સિનિયર સિટિઝન ઘરમાંથી બહાર ના નીકળે.
  • સમાજના સમારોહમાં જવાનું ટાળવું જોઈએ
  • બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું જોઈએ
  • તમારી પાસે એક સહયોગ માગું છે કે સ્વયંભૂ જનતા કર્ફ્યુ
  • જનતા માટે, જનતા વડે, જનતા દ્વારા કર્ફ્યુ
  • 22 માર્ચે, 2019એ જનતા કર્ફ્યુ
  • જનતા કર્ફ્યુએ કોઈ પણ નાગરિક ઘરની બહાર ના નીકળે
  • રવિવારે સવાર સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી જનતા કર્ફ્યુ સ્વેચ્છાએ પાલન કરવું.
  • રાજ્ય સરકારો જનતા કરફ્યુનું પાલન કરાવે
  • દેશવાસીઓ માટે આ એક કસોટી સમાન
    જનતા કરફ્યુનો સંદેશ દરેકે 10 જણને આપવો
  • ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને પોલીસ વગેરેનો આભાર માનવો
  • રવિવારે સાંજે પાંચ વાગ્યે પાંચ મિનિટ સુધી દેશ સેવા આપી રહેલા લોકોનો આભાર માનવો.
  • સેવા પરમો ધર્મના સંસ્કારને ઉજાગર કરવો
  • વૈશ્વિક રોગચાળાની અર્થતંત્ર પર પણ ઘેરી અસર
  • નાણાપ્રધાનની અધ્યક્ષતામાં covid-19 ટાસ્ક ફોર્સની રચના
  • સંકટ સમયે વેપારીઓ અને ઉચ્ચ આવકવાળાને નીચલા વર્ગનું ધ્યાન રાખે
  • દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત ના થાય એ માટે પગલાં લેવાશે
  • જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ ટાળો
  • ખાવાની ચીજવસ્તુઓની અછત નહીં થાય
  • આ સંકટ બહુ મોટું છે એટલે દેશવાસીઓને આ મુશ્કેલીની દોરમાં મુકાબલો કરવો આવશ્યક છે
  • કોરોનાથી બચવા જ પ્રાથમિકતા આપવી જરૂરી
  • દરેક જણ સ્વેચ્છાએ સજાગ રહીને પોતાનું યોગદાન આપે છે, ત્યારે તમારે તમારું યોગદાન આપવાનું છે
  • આવશ્યક જરૂરી બાબતોનું પાલન કરીએ
  • માનવ જાતિનો વિજય થાય, ભારત દેશનો જય હો.

તેમણે કહ્યું હતું કે  કોરોના વાઇરસની હજી સુધી અસરકારક દવા શોધાઈ નથી
આવી સ્થિતિમાં જ્યારે બીમારીની કોઈ દવા નથી તો આપણે પોતે સ્વસ્થ  રહીએ તે ઘણું આવશ્યક છે. આજે આપણે સંકલ્પ લેવા પડશે કે આપણે સ્વંય સંક્રમિત થવાથી બચીશું અને બીજાને પણ સંક્રમિત થવાથી બચાવીશું

ઘણા દેશોમાં શરુઆતના કેટલાક દિવસો પછી અચાનક બિમારીનો જેવો વિસ્ફોટ થયો છે. આ દેશોમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ઘણી ઝડપથી વધી છે. અત્યાર સુધી વિજ્ઞાન કોરોના મહામારીથી બચવા માટે કોઈ નિશ્ચિત ઉપાય બતાવ્યો નથી અને વેક્સીન પણ બની નથી. આવી સ્થિતિમાં ચિંતા વધવી સ્વાભાવિક છે, એમ તેમણે કહ્યું હતું.   તમારા આર્શીવાદની તાકાતથી અમારા પ્રયત્ન સફળ થાય છે, એમ  તેમણે કહ્યું હતું.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular