Thursday, July 17, 2025
Google search engine
HomeNewsNationalઆજના દિવસે જ મીનાકુમારી દુનિયા છોડી ગઇ હતી

આજના દિવસે જ મીનાકુમારી દુનિયા છોડી ગઇ હતી

મુંબઈઃ દિલ્હી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટ્રેજડી ક્વિનના નામથી જાણીતી મીના કુમારી એ ફેમસ અભિનેત્રીઓમાં ગણામાં આવે છે કે જેમને આજે પણ લોકો યાદ કરે છે અને જેઓ આજે પણ દર્શકોના દિલમાં છે તે ન માત્ર પોતાની સુંદરતા પરંતુ પોતાની એક્ટિંગ અને ડાયલોગ્સ માટે પણ જાણિતી છે. ઓગસ્ટ, 1932 ના રોજ જન્મેલી મીના કુમારી આજના દિવસે એટલે કે 31 માર્ચના રોજ દુનિયાને છોડીને જતી રહી હતી.

મીના કુમારીનું નિધન 31 માર્ચ, 1972 ના રોજ નિધન થયું હતું. મીના કુમારીએ પોતાના 30 વર્ષના આખા કરિયરમાં 90થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. મીના કુમારીનો જન્મ થતા જ તેમના પિતાએ તેમને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હતા. આવો જાણીએ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો.

આખી દુનિયામાં આમતો મીના કુમારીના નામથી ઓળખાય છે પરંતુ તેનું અસલી નામ મહજબીન હતું. મીના કુમારી ક્યારેય ફિલ્મોમાં કામ કરવાનું ઈચ્છતી નહોતી. તે બીજા બાળકોની જેમ શાળાએ જવા ઈચ્છતી હતી. પરંતુ પરિવારની સ્થિતિ સારી ન હોવાના કારણે તેમને શાળાની જગ્યાએ ફિલ્મોમાં કામ કરવું પડ્યું.

મીના કુમારીના પિતા અલી બક્શને પહેલા જ બે દીકરીઓ હતી. તેએ મીના કુમારીના જન્મથી નાખુશ હતા. કહેવામાં આવે છે કે જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે તેના ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. ત્યાં સુધી કે તેના પિતા પાસે ડોક્ટરની ફી આપવાના પણ પૈસા નહોતા. એટલા માટે તેના પિતા તેને કોઈ મુસ્લિમ અનાથાલયની બહાર મૂકી આવ્યા હતા. પરંતુ થોડા કલાક પછી તેને પાછા લઈ આવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular