Friday, June 13, 2025
Google search engine
HomeNewsNationalબંગાળમાં 1 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી

બંગાળમાં 1 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પહેલીથી જૂનથી રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી દીધી છે. જોકે મોટાં ધાર્મિક આયોજનની મંજૂરી નહીં અપાય, એમ તેમણે આજે કોરોના સંકટમાં યોજેલી પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં સ્થળ, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા ખોલવામાં આવશે, પણ એક સમયે 10થી વધુ લોકોને અંદર ભેગા થવાની મંજૂરી નહીં આપવામાં આવશે.

જ્યૂટ ઉદ્યોગ પેહલી જૂનથી ધમધમશે

તેમણે કહ્યું હતું કે 8 જૂનથી રાજ્યમાં બધા – સરકારી અને ખાનગી કાર્યાલયોમાં કર્મચારીઓ પોતાના કામ પર પાછા ફરી શકશે. એની સાથે રાજ્યમાં જ્યૂટ ઉદ્યોગને પહેલી જૂનથી પોતાના બધા કર્મચારીઓની સાથે ખોલવામાં આવશે. રાજ્ય પાછલા બે મહિનામાં કોવિડ-19ને ફેલાવવાથી રોકવામાં સફળ રહ્યું હતું, પરંતુ હવે કેસ એટલા માટે વધી રહ્યા છે, કેમ કે બહારથી લોકો પાછા ફરી રહ્યા છે.

રેલવે કોરોના એક્સપ્રેસ ટ્રેનો ચલાવે છે?

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે તેમની સરકારથી પરામર્શ કર્યા વગર મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરોને રાજ્યમાં પાછા લાવવા માટે પાછલા કેટલાક દિવસોથી તેઓ રેલવેની આલોચના કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે આ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વગર કરવામાં આવ્યું હતું. તેમણે સવાલ કર્યો હતો કે ભારતીય રેલવે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોને બદલે કોરોના એક્સપ્રેસ ટ્રેનો ચલાવી રહી છે. અન્ય રાજ્યોથી પરત ફરેલા પ્રવાસી મજૂરો માટે વધુ ટ્રેનો કેમ નથી ચલાવવામાં આવતી? એવો પ્રશ્ન કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular