Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalલોકસભામાંથી હકાલપટ્ટી કેસને મહુઆ મોઇત્રાએ સુપ્રીમમાં પડકાર્યો

લોકસભામાંથી હકાલપટ્ટી કેસને મહુઆ મોઇત્રાએ સુપ્રીમમાં પડકાર્યો

નવી દિલ્હીઃ TMC નેતા મહુઆ મોઇત્રા કેશ ફોર ક્વેરી કેસમાં લોકસભામાં હકાલપટ્ટીને મુદ્દે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. તેમણે તેમની હકાલપટ્ટીને કોર્ડમાં પડકાર આપ્યો છે. કેશ ફોર કેરી મામલમાં આરોપ લગાવ્યા પછી એથિકસ કમિટીને મામલે તપાસ કરીને લોકસભાના અધ્યક્ષને આ રિપોર્ટ સોંપ્યો હતો. તેની શુક્રવારે સંસદમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.

 શું હતો કેસ?

મહુઆ મોઇત્રા પર સંસદમાં પૈસા લઈને સવાલ પૂછવાના આરોપ લાગ્યા હતા. આ મામલાની તપાસ લોકસભાની એથિક્સ કમિટીએ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે મહુઆ મોઇત્રાની સંસદની સત્તાવાર IDનું લોગઇન અને પાસવર્ડ બિઝનેસમેન દર્શન હીરાનંદાનીને આપ્યાં હતાં.કમિટીએ આ મામલાને રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલો બતાવ્યો હતો. કમિટીએ તપાસમાં મહુઆ મોઇત્રાને દોષી ઠેરવ્યા હતા અને લોકસભા અધ્યક્ષથી મોઇત્રાનું સભ્યપદ રદ કરવાની માગ કરી હતી.

કમિટીએ મહુઆ મોઇત્રા, નિશિકાંત દુબે સહિત કેટલાક લોકોનાં નિવેદનો નોંધ્યા હતાં. વિનોદ કુમાર સોનકરની અધ્યક્ષતાવાળી સમિતિએ નવ નવેમ્બરે એક બેઠકમાં કેશ ફોર ક્વેરીના આરોપ પર મહુઆ મોઇત્રાનું લોકસભાનું સભ્યપદ રદ કરવાની ભલામણ કરતાં રિપોર્ટ તૈયાર કર્યો હતો. કમિટીના છ સભ્યો રિપોર્ટના પક્ષમાં મતદાન કર્યું હતું, એમાં કોંગ્રેસ સાંસદ પરનિત કૌર પણ સામેલ હતાં, જેમને પહેલાં પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં.

મહુઆ મોઈત્રાએ એથિક્સ કમિટી પર પણ આકરા શબ્દોમાં અનેક આરોપો લગાવ્યા છે. તેમના વતી, એવું કહેવામાં આવ્યું હતું કે એથિક્સ કમિટીની તપાસ સંપૂર્ણપણે બે વ્યક્તિઓની લેખિત જુબાની પર આધારિત છે, જેમના નિવેદનો વાસ્તવમાં એકબીજા સાથે વિરોધાભાસી છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular