Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsMumbaiમહા વિકાસ આઘાડીની ગાડીમાં બ્રેક અને પૈડાં નથીઃ PM મોદી

મહા વિકાસ આઘાડીની ગાડીમાં બ્રેક અને પૈડાં નથીઃ PM મોદી

નાસિકઃ રાજ્યમાં 20 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં PM મોદીએ ચૂંટણીપ્રચારનું બ્યુગલ ફૂક્યું હતું.તેમણે ધુળેમાં ચૂંટણી સભા સંબોધિત કર્યું હતું. તેમણે મહા વિકાસ આઘાડી પર આકરા પ્રહારો કર્યા હતા. મહા વિકાસ આઘાડીની ગાડીમાં બ્રેક પણ નથી અને પૈડાં નથી, એમ તેમણે કહ્યું હતું. MVAના લોકો મહિલાઓને ગાળો આપે છે.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓ જાતિને આધારે લોકોને વહેંચી રહ્યા છે. તે ઈચ્છે છે કે SC, ST અને OBCની પ્રગતિ ન થાય. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાં વોલ 370 ઊભી કરી હતી, જેને અમે તોડી પાડી હતી.નાસિકની દરેક વ્યક્તિને ગર્વ છે કે તેમનું શહેર સ્વતંત્ર ભારતમાં આટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. બીજી તરફ તેઓ કોંગ્રેસ અને અઘાડીના પણ છે. તેઓ દેશને કમજોર કરવાની કોઈ તક છોડતા નથી. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓને ન તો બાબાસાહેબ આંબેડકરના બંધારણની પરવા છે કે ન તો દેશની. જ્યારે સંવિધાનની સુરક્ષાની વાત આવે છે ત્યારે તેઓ ઊલટું કરે છે. આ એ કોંગ્રેસી લોકો છે જેમણે બાબાસાહેબ આંબેડકરના બંધારણને 75 વર્ષ સુધી જમ્મુ-કાશ્મીરમાં લાગુ ન થવા દીધું.

હજી બે દિવસ પહેલાં કોંગ્રેસ અને તેના સહયોગીઓએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કલમ 370ને ફરીથી લાગુ કરવાને લઈને હંગામો કર્યો હતો. આ લોકો ફરી ઇચ્છે છે કે જમ્મુ-કાશ્મીરમાંથી બાબાસાહેબ આંબેડકરનું બંધારણ હટાવવામાં આવે. આ લોકો ફરી ઇચ્છે છે કે ત્યાં દલિતો અને પછાત વર્ગોને આપવામાં આવેલ આરક્ષણ ફરીથી નાબૂદ કરવામાં આવે.મહારાષ્ટ્રની જનતા જોઈ રહી છે કે એક તરફ મહાયુતિનો ઢંઢેરો છે તો બીજી તરફ મહા આઘાડીનો કૌભાંડી પત્ર છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જ્યાં પણ હાજર હશે ત્યાં ચોક્કસ કૌભાંડો થશે. આ લોકો એવી જાહેરાતો કરે છે, જેમાં મહત્તમ ભ્રષ્ટાચાર થઈ શકે, એમ તેમણે કહ્યું હતું.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular