Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalમધ્ય પ્રદેશઃ કોંગ્રેસના બાગી ધારાસભ્યોનો લેટેસ્ટ સુર...

મધ્ય પ્રદેશઃ કોંગ્રેસના બાગી ધારાસભ્યોનો લેટેસ્ટ સુર…

નવી દિલ્હીઃ બેંગ્લોરમાં બેઠેલા મધ્યપ્રદેશ કોંગ્રેસના બાગી ધારાસભ્યોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે તેઓ ચૂંટણી માટે તૈયાર છે. તેમનું કહેવું હતું કે જ્યારે સિંધિયા પર હુમલો થઈ ચૂક્યો છે તો તેઓ કેવી રીતે સુરક્ષિત રહી શકે. આ સાથે જ ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ તમામ પોતાની ઈચ્છા સાથે આવ્યા છે અને તેમનું રાજીનામું મંજૂર શાં માટે નથી કરવામાં આવી રહ્યું?

બાગી ધારાસભ્યોમાંથી એક ઈમરતી દેવીએ કહ્યું કે, જ્યોતિરાદિત્ય સિંધિયા અમારા નેતા છે. તેઓ અમારા વિશે વિચારે છે. હું તેમની સાથે હંમેશા રહીશ. ભલે મારે કુવામાં કૂદવું પડે. તો એક અન્ય ધારાસભ્ય ગોવિંદ સિંહ રાજપૂતે કહ્યું કે, કમલનાથજીએ તેમની વાત 15 મીનિટ પણ સાંભળી નથી તો અમે અમારા ક્ષેત્રમાં વિકાસ માટે કોની સાથે વાત કરત. ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાની આગેવાનીમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ કોંગ્રેસને દગો આપ્યો છે. સિંધિયા પહેલા જ ભાજપમાં જઈ ચૂક્યા છે. તો આ ધારાસભ્યોએ પણ પોતાનું રાજીનામું વિધાનસભા સ્પીકરને મોકલી આપ્યું છે. બાદમાં કમલનાથ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે.

ભાજપની માંગ પર રાજ્યપાલે 16 માર્ચના રોજ ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો પરંતુ વિધાનસભા સ્પીકરે કોરોના વાયરસની વાત કરીને વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી ટાળી દીધી છે. પરંતુ આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચવામાં આવ્યું છે. હવે તમામની નજરો સુપ્રીમ કોર્ટ પર ટકેલી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular