Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalસંભલ હિંસા મુદ્દે કોઈ પગલાં ના લે નીચલી કોર્ટઃ SC

સંભલ હિંસા મુદ્દે કોઈ પગલાં ના લે નીચલી કોર્ટઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં સંભલ હિંસા કેસની સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને કોઈ નિર્ણય ન લેવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે શાંતિ અને વ્યવસ્થા કાયમ રહેવી અને વહીવટી તંત્ર એ વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરે.

કોર્ટે અરજદારને હાઈકોર્ટમાં જવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે આ મામલામાં નીચલી કોર્ટના આદેશ સામે કેટલાક વાંધાઓ છે. હાઈકોર્ટની પરવાનગી વગર કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં. કોર્ટે અરજદારને પૂછ્યું કે તમે હાઈકોર્ટમાં કેમ ન ગયા?

સુપ્રીમ કોર્ટે કોર્ટ કમિશનરને સીલબંધ પરબીડિયામાં સર્વે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે આદેશમાં કહ્યું છે કે જ્યાં સુધી કેસ હાઈકોર્ટ સમક્ષ લિસ્ટ નહીં થાય ત્યાં સુધી આપેલા આદેશ મુજબ આગળની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે કહ્યું હતું કે અમે કેસની યોગ્યતા અને ખામીઓ પર કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી. આ કેસની ફરી સુનાવણી છઠ્ઠી જાન્યુઆરીએ થશે. કોર્ટે કહ્યું હતું કે જો જરૂરી હોય તો બંને પક્ષો અરજી કરી શકે છે.

કોર્ટે કહ્યું હતું કે શાંતિ અને સંવાદિતા સુનિશ્ચિત કરવી જોઈએ. અમે તેને પેન્ડિંગ રાખીશું અને અમે કંઈ થાય તેમ નથી ઈચ્છતા. આર્બિટ્રેશન એક્ટની કલમ 43 જુઓ અને જુઓ કે જિલ્લાએ આર્બિટ્રેશન કમિટીઓ બનાવવી જોઈએ. આપણે સંપૂર્ણપણે તટસ્થ રહેવું પડશે અને કોઈ અપ્રિય ઘટના ન બને તેની ખાતરી કરવી પડશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular