Saturday, June 28, 2025
Google search engine
HomeNewsNationalકોટા હોસ્પિટલમાં 100 બાળકોના મોતઃ કેટલાક ઉપકરણોમાં હતી ખામી, તપાસમાં ખુલાસો

કોટા હોસ્પિટલમાં 100 બાળકોના મોતઃ કેટલાક ઉપકરણોમાં હતી ખામી, તપાસમાં ખુલાસો

જયપુરઃ રાજસ્થાનના કોટામાં જે.કે.લોન હોસ્પિટલમાં થયેલા નવજાત શિશુઓના મોતને લઈને રાજનીતિ ગરમાઈ રહી છે. આ મામલે રાજ્ય સરકારની તપાસમાં સામે આવ્યું છે કે ઈન્ક્યૂબેટર જેવા ઉપકરણોમાં કમી હતી અને કેટલાક ઉપકરણો યોગ્ય રીતે કામ નહોતા કરી શકતા. આ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતે જૂના આંકડાઓને ઉઠાવતા દાવો કર્યો કે છેલ્લા કેટલાક વર્ષોના મુકાબલે આ વર્ષે બાળકોના મોત ઓછા થયા છે. તો ભાજપ અને બસપા સુપ્રીમો માયાવતીએ પણ રાજસ્થાન સરકાર પર નિશાન સાધ્યું છે. બસપા સુપ્રીમોએ તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ચૂપ છે.कोटा अस्पताल में 100 नवजातों की मौत: राज्य सरकार की जांच टीम ने पाया, कई इनक्यूबेटर सही ढंग से काम नहीं कर रहे थे

તેમણે કહ્યું કે, તેઓ ઉત્તર પ્રદેશની જગ્યાએ રાજસ્થાન જતા અને એ ગરિબ માતાઓ સાથે મુલાકાત કરતા કે જેણે પોતાના સંતાન ગુમાવ્યા છે. યોગી આદિત્યનાથે આ મામલે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, કોટામાં ગરીબ બાળકોના મોતથી કાળજુ કંપી ઉઠ્યું છે. માતાઓના ખોળા સુના થઈ જવા તે સમાજ, માનવીય મુલ્યો અને સંવેદનાઓ પર કાળી ટીલી સમાન છે. મને દુઃખ છે કે કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રા મહિલા થઈને પણ મહિલાઓનું દુઃખ સમજી શકતી નથી.

આ સાથે જ કોટાના સાંસદ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ નવજાત શિશુઓના મોતને દુઃખદ ઘટના ગણાવતા કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને કામ કરે, બિરલાએ કહ્યું કે, કોટા મારું લોકસભા ક્ષેત્ર છે અને કોઈપણ આ પ્રકારની ઘટના મને કષ્ટ આપે છે. હું પોતે અહીંયા ગયો હતો અને આ વિષય પર રાજ્ય સરકારને પણ આગ્રહ કર્યો હતો અને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યા મંત્રી ડો. હર્ષવર્ધન સાથે મારી વાત થઈ છે કે કઈ રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular