Monday, June 9, 2025
Google search engine
HomeNewsNationalલોકસભા ચૂંટણીઃ આ દિગ્ગજ રાજનેતાઓનું નસીબ EVMમાં બંધ

લોકસભા ચૂંટણીઃ આ દિગ્ગજ રાજનેતાઓનું નસીબ EVMમાં બંધ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. કુલ 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત ક્ષેત્રોની 102 સીટો માટે પહેલા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, એમાંથી 39 સીટો તામિલનાડુ, 12 સીટો રાજસ્થાન, આઠ ઉત્તર પ્રદેશ, છ મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રમાં પ્રત્યેકમાં પાંચ-પાંચ, બિહારમાં ચાર, પશ્ચિમ બંગાળમાં ત્રણ સીટો સામેલ છે. ઉત્તર-પૂર્વ રાજ્યો અને જમ્મુ અને કાશ્મીરમાં ફણ એક-એક સીટો પર મતદાન થઈ રહ્યું છે.

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ પ્રધાન નીતિન ગડકરી ફરીથી નાગપુરથી ચૂંટણી લડી રહ્યા છે. ગડકરી ભાજપના સૌથી સિનિયર લીડર્સમાંના એક છે. આ વખતે ગડકરીનો મુકાબલો કોંગ્રેસના વિલાસ ઠાકરે સામે છે. જે હજી નાગપુર વેસ્ટની વિધાનસભાની સીટથી વિધાસભ્ય છે.

UPના નગીના સીટ પર આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના ઉમેદવાર ચંદ્રશેખર આઝાદ ઊભા છે. તેઓ છેલ્લા કેટલાંક વર્ષોમાં મોટા દલિત નેતા તરીકે ઊભર્યા છે. અરુણાચલ વેસ્ટથી કેન્દ્રીય વેસ્ટથી કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુ ચૂંટણી લડી રહ્યા છે.  છિંદવાડાથી કોંગ્રેસના નકુલ નાથ ચૂંટણી લડી રહ્યા છે. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કમલનાથના પુત્ર છે. ઉત્તર પ્રદેશની પીલીભીત સીટે પર મેનકા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. કોઇમ્બતુરને ભાજપે પાર્ટીના અધ્યક્ષ કે. અન્નામલાઇને ટિકિટ આપી છે. તેમનો મુકાબલો DMKના ગણપતિ પી. રાજકુમાર સાથે છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular