Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNational14-એપ્રિલ પછી સૌપ્રથમ વાર બે-લાખથી ઓછા નવા કેસો

14-એપ્રિલ પછી સૌપ્રથમ વાર બે-લાખથી ઓછા નવા કેસો

 નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 1,96,427 નવા કેસ સામે આવ્યા છે. લાંબા અંતરાલ પછી દૈનિક સંક્રમિતોની સંખ્યા બે લાખથી નીચે આવી છે. આ પહેલાં 14 એપ્રિલે 1.84 લાખ કેસો નોંધાયા હતા. 15 એપ્રિલે બે લાખથી વધુ નવા કેસો નોંધાયા હતા. ત્યાર બાદ સતત બે લાખથી વધુ કોરોનાના કેસો નોંધાતા હતા.  છેલ્લા 24 કલાકમાં 3511 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,69,48,874 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,07,231 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,40,54,861  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,26,850 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 25,86,782એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 89.26 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.14 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 20,58,112 લોકોનું ટેસ્ટિંગ થયું છે. દેશમાં પોઝિટિવિટી રેટ 9.54 ટકા છે. ગઈ કાલ સુધીમાં દેશમાં 33,25,94,176 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

દેશમાં 19.85 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 19,85,38,999 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 24,30,236 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular