Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalભાજપના પ્રવક્તાએ કહ્યુંઃ માફી માંગે તેજ પ્રતાપ યાદવ

ભાજપના પ્રવક્તાએ કહ્યુંઃ માફી માંગે તેજ પ્રતાપ યાદવ

પટણાઃ ભાજપે ગુરુવારના રોજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી પર આરજેડી નેતા તેજ પ્રતાપ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને મહિલા વિરોધી ગણાવતા નિશાન આધ્યું. તેજ પ્રતાપે બન્ને નેતાઓના નામ પાછળથી કુમાર હટાવી કુમારી લગાવવા માટે કહ્યું હતું. આરજેડી નેતા લાલૂ પ્રસાદ યાદવના મોટા દિકરા તેજ પ્રતાપ અહીંયા સીએએ, એનઆરસી અને એનપીઆરની વિરોધ રેલીમાં નીતિશ કુમારની આગેવાની વળા જેડીયૂ અને ભાજપની ટીકા કરીને વિવાદોમાં આવ્યા હતા. નીતિશે જૂલાઈ 2017 માં આરજેડી સાથે સંબંધ તોડીને રાજ્યમાં ભાજપ સાથે સરકાર બનાવી લીધી હતી.

યાદવે અહીંયા કહ્યું કે, મારા પિતાએ તેમનું નામ પલટૂરામ રાખ્યું, એટલા માટે હું કહું છું કે નીતિશ કુમાર હવે નીતિશ કુમારી છે અને ભગવા ઝંડા વાળા સુશીલ કુમાર મોદી હવે સુશીલ કુમારી મોદી છે. તેમનામાં અમારી સામે આવવાની હિંમત નથી એટલે તેઓ પોતાના ઘરમાં બંગડીઓ પહેરીને બેઠા છે.

આરજેડીની આ રેલી મસૌઢીમાં બુધવારે રાત્રે થઈ હતી અને સ્થાનિક ટીવી ચેનલો દ્વારા આ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો. તેજ પ્રતાપની ટિપ્પણીઓથી ગુસ્સે ભરાયેલા ભાજપના પ્રવક્તા આનંદે આરજેડી નેતાને માફી માંગવા કહ્યું છે.

તેમણે યાદવને તેમની પત્ની દ્વારા લગાવવામાં આવેલા ઘરેલૂ હિંસાના આરોપોની યાદ અપાવી, આનંદે કહ્યું કે, તો શું તેજ પ્રતાપ એ કહેવા માંગે છે કે જેમના નામની સાથે કુમારી લાગેલું હોય છે અને જે બંગડીઓ પહેરે છે, શું તેઓ સન્માનનો હક નથી ધરાવતી? તેમની ફાલતુ ટિપ્પણીઓ અને તેના પર તેમના પ્રશંસકોની મળેલી દાદ એ વાતનું પ્રમાણ છે કે, આરજેડીમાં ગેરસમજો ઉંડે સુધી મૂળીયા જમાવીને બેઠી છે. તેમણે કહ્યું કે, આરજેડીની મહિલા વિરોધી ટિપ્પણીઓ તેમની પત્ની દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપોને સાચા સાબિત કરે છે. તેમણે યાદવને મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી પાસેથી માફી માંગવાની માંગ કરી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular