Monday, June 9, 2025
Google search engine
HomeNewsNationalલાહોરમાં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ ચીફ પરમજિત સિંહની હત્યા

લાહોરમાં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ ચીફ પરમજિત સિંહની હત્યા

લાહોરઃ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)ના પ્રમુખ પરમજિત સિંહ પંજવાર ઉર્ફે સરદાર સિંહની હત્યા કરી દેવામાં આવી છે. પાકિસ્તાનના લાહોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અલગાવવાદી સંગઠન દળ ખાલસાના નેતા કંવર પાલ સિંહે હુમલામાં પરમજિત સિંહ પંજવારના માર્યા જવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ મોર્નિંગ વોક પર હતા, એ દરમ્યાન બંદૂકધારીઓએ તેને ગોળીઓ ધરબી દીધી હતી.

1960માં તરનતારનના પંજવાર ગામમાં જન્મેલા પરમજિત સિંહ પંજવાર KCFનો પ્રમુખ છે. તેને UAPA હેઠળ એક આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. તે પાકિસ્તાનના લાહોરમાં રહેતો હતો અને ત્યાંથી જ કામ કરી રહ્યો હતો. પરમજિત સિંહ એક કટ્ટરપંથી ખાલિસ્તાની હતો. તે સતત ભારત અને પાકિસ્તાનના પંજાબથી અલગ શીખ દેશની માગ કરતો હતો. તભારતીય સુરક્ષા દળો દ્વારા KCFના ભૂતપૂર્વ પ્રમુખ અને પરમજિતના કઝિન ભાઈ લાભ સિંહને સફાયો કર્યા પછી તેણે KCFનો કાર્યભાર સંભાળ્યો હતો.  

પરમજિત સિંહે પટિયાલા અને અંબાલા શહેરોમાં 2010માં બોમ્બધડાકાઓમાં એ મુખ્ય ષડયંત્રકાર હતો. તચેણે 2009માં રાષ્ટ્રીય શીખ સંગતના પ્રમુખ રુલ્દા સિંહની હત્યા પણ કરી હતી, જેમાં તે મુખ્ય આરોપી બન્યો હતો. આ ઉપરાંત ભારતીય પંજાબમાં માનવ રહિત ડ્રોનના માધ્યમથી નશીલી દવો અને હથિયારોની દાણચોરીમાં સામેલ હતો.

ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા 30 જૂન, 1999ની પાસે એરપોર્ટ ઓફિસની પાસે જે બોમ્બ ધડાકો થયો હતો, એ પરમજિત સિંહે જ કરાવ્યો હતો. ગૃહ મંત્રાલયમાં નવ આતંકવાદીઓની યાદી જારી કરી હતી, એમાં પરમજિત સિંહનું નામ પણ સામેલ હતો.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular