Sunday, May 25, 2025
Google search engine
HomeNewsNationalકાશી વિશ્વનાથ મંદિર-મસ્જિદ વિવાદઃ હાઇકોર્ટમાં 29 માર્ચથી સુનાવણી શરૂ

કાશી વિશ્વનાથ મંદિર-મસ્જિદ વિવાદઃ હાઇકોર્ટમાં 29 માર્ચથી સુનાવણી શરૂ

વારાણસીઃ ઉત્તર પ્રદેશમાં કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને દાખલ અરજીઓની સુનાવણી હવે 29 માર્ચથી સતત જારી રહેશે. અંજુમન ઇંતજામિયા મસ્જિદ વારાણસી તરફથી દાખલ થયેલી અરજી અને અન્ય અરજીઓની સુનાવણી જસ્ટિસ પ્રકાશ પાડિયા કરી રહ્યા છે. વિશ્વેશ્વર નાથ મંદિર તરફથી વકીલ વિજય શંકર રસ્તોગીએ વધારાની લેખિત દલીલ દાખલ કરી છે. 

તેમણે કહ્યું હતું કે  યાચીએ CPCના આદેશ સાત નિયમ 11 ડીના હેઠળ વાંધા અરજી દાખલ કરી હતી. મંદિરના વક્તાએ વિજય શંકર રસ્તોગીએ લેખિત ચર્ચામાં કોર્ટને જણાવ્યું હતું કે એ સંપત્તિ લોર્ડ વિશ્વેશ્વર મંદિરની છે, જેઓ સતયુગના વિદ્યમાન છે. ગ્રાઉન્ડ ફ્લોર પર મંદિરનો કબજો છે. પૂજા-અર્ચના જારી છે. સ્વયંભૂ લોર્ડ વિશ્વેશ્વર વિરાજમાન છે. જે 15મી સદીનો હિસ્સો છે. જમીનની પ્રકૃતિ ધાર્મિક છે એટલે પ્લેસ ઓફ વર્શિપ 1991 એના પર લાગુ નહીં થાય. સમયની કમીને કારણે દલીલને પૂરી નહીં કરી શકાઈ. હવે 29 માર્ચે પણ દલીલ જારી રહેશે. અલાહાબાદ હાઇકોર્ટના મંદિરના પ્રાંગણમાં સર્વે કરાવવાના વારાણસી કોર્ટના આદેશને અટકાવી રાખવામાં આવ્યો છે.

અલાહાબાદ હાઇકોર્ટે કહ્યું હતું કે ગુનાઇત મામલે પ્રિન્ટેડ પ્રોફાર્મામાં સમન્સ જારી ના કરવામાં આવે. આ મામલે કોર્ટમાં સામાન્ય સચિવે પ્રદેશના બધા જિલ્લા જસ્ટિસોને સર્ક્યુલર જારી કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે ગુનાઇત કેસમાં આરોપીને સમન્સ જારી કરવાનો ગંભીર મામલો છે. પ્રિન્ટેડ પ્રોફાર્મામાં ખાલી સ્થાન ભરીને સમન્સ જારી કરવાનું સ્થાપિત માપદંડોના પ્રતિકૂળ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular