Friday, June 13, 2025
Google search engine
HomeNewsNationalપાંચ-છ લોકોની એક લોબીથી ન્યાયતંત્રને ખતરો: રંજન ગોગોઈ

પાંચ-છ લોકોની એક લોબીથી ન્યાયતંત્રને ખતરો: રંજન ગોગોઈ

નવી દિલ્હી: રાજ્યસભાના સભ્યપદે શપથ ગ્રહણ કર્યા બાદ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ ભારતીય ન્યાયતંત્ર અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. રંજન ગોગોઈએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 5-6 લોકોની એક લોબીથી ન્યાયતંત્રને ખતરો છે જે જજોને તેમની ઈચ્છા અનુસાર નિર્ણય સંભળાવવા મજબૂર કરે છે અને જો જજ એવુ ન કરે તો તેને બદનામ અને કલંકિત કરે છે. આ ગેંગ એક લોબીની જેમ કામ કરીને ન્યાયતંત્રને નબળુ પાળી રહી છે. આથી, તેનો ખાતમો કર્યા સિવાય ન્યાયવ્યવસ્થા સ્વતંત્ર નહીં થાય.

જોકે પૂર્વ ચીફ જસ્ટિસે જાણકારી ન આપી કે તેઓ કઇ લોબીની વાત કરી રહ્યા છે, જે ન્યાયતંત્રમાં ખંડણી આપી રહ્યા છે?  ગોગોઇએ આગળ કહ્યું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતાનો અર્થ છે કે આ પ્રકારની લોબીની પકડને તોડી પાડવી. જ્યાં સુધી આવી લોબીનો ખાતમો નહીં થાય ત્યાં સુધી ન્યાયતંત્ર સ્વતંત્ર નહીં બને. જો કોઇ કેસ એમની મરજી પ્રમાણે નથી ચાલતો તો ખંડણી આપીને કેસ રોકી લે છે. તેઓ સંભવ તમામ રસ્તાઓ અપનાવી જજોની કાર્યવાહીને નડતરરુપ થવાના પ્રયત્ન કરતા રહે છે. ગોગોઇ મુજબ જજો માટે તેમના મનમાં એક પ્રકારનો ડર છે. જજ આવું નથી ઇચ્છતા અને શાંતિથી નિવૃત થવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે અયોધ્યા અને રાફેલ કેસનો નિર્ણય કેન્દ્ર સરકારની પક્ષમાં ગયો હતો, જે પછી કોંગ્રેસ અને વિપક્ષ દળોએ આરોપ લગાવ્યા હતા કે “રાજ્યસભાનું સભ્યપદ” કેન્દ્ર સરકાર તરફથી પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઇને ભેટ છે. જેની પર ગોગોઇએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular