Thursday, July 3, 2025
Google search engine
HomeNewsNationalકશ્મીરમાં પાંચ પાકિસ્તાની ત્રાસવાદીઓનો ખાત્મો

કશ્મીરમાં પાંચ પાકિસ્તાની ત્રાસવાદીઓનો ખાત્મો

શ્રીનગરઃ સુરક્ષા દળોએ કશ્મીરમાં મોટી જીત હાંસલ કરી છે. એમણે બે એન્કાઉન્ટરોમાં પાંચ પાકિસ્તાની ત્રાસવાદીઓને ખતમ કરી નાખ્યા છે. આ ત્રાસવાદીઓ પાકિસ્તાનમાંથી સક્રિય ત્રાસવાદી સંગઠન લશ્કર-એ-તૈબા અને જૈશ-એ-મોહમ્મદના હતા. આ પાંચ ત્રાસવાદીઓમાં એક જણ જૈશનો ત્રાસવાદી ઝાહિદ વની પણ હતો. જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વિજય કુમારના જણાવ્યા મુજબ, પુલવામા જિલ્લાના નાઈરા અને બડગામમાં આ એન્કાઉન્ટર થયા હતા.

નાઈરામાં થયેલા એન્કાઉન્ટરમાં ઝાહિદ વની સહિત જૈશ-એ-મોહમ્મદના ચાર ત્રાસવાદીને ઠાર મારવામાં આવ્યા હતા. જ્યારે બડગામમાં એક સ્થાનિક રહેવાસી, પણ પાકિસ્તાનમાંથી મદદ મેળવનાર ત્રાસવાદીને પતાવી નાખ્યો. એની પાસેથી એક એકે-56 રાઈફલ પણ મળી આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular