Friday, June 13, 2025
Google search engine
HomeNewsNationalમોટો હુમલો કરવા જમ્મૂ-કાશ્મીરમાં ઘુસ્યા આતંકીઓ, સેનાએ કર્યા ઠાર

મોટો હુમલો કરવા જમ્મૂ-કાશ્મીરમાં ઘુસ્યા આતંકીઓ, સેનાએ કર્યા ઠાર

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં મોટો આંતકી હુમલો કરવાની ફીરાકમાં ઘુસેલા આશરે ચાર આતંકીઓ પૈકી 3 આતંકવાદીઓને સુરક્ષાદળો દ્વારા ઠાર કરવામાં આવ્યા છે. અત્યારે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલું છે. શ્રીનગર તરફ જઈ રહેલા આતંકવાદીઓએ ઘાટીમાં જવાના પ્રયત્નમાં નગરોટા નજીક સુરક્ષા દળોની નાકાબંધી કરીને ઉભેલી ટીમ પર ચેકીંગ દરમિયાન ગોળીબાર કર્યો હતો. આમાં એક આતંકી ઘાયલ થયો છે. જમ્મૂ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, આતંકવાદીઓનું આ સમૂહ શ્રીનગર તરફ જઈ રહ્યું હતું અને શક્યતાઓ છે કે તેમણે કઠુઆ, હીરાનગર બોર્ડર પરથી ઘુસણખોરી કરી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે.

શક્યતાઓ છે કે, આ આતંકીઓનું ષડયંત્ર આત્મઘાતી હુમલો કરવાનું હતું. આતંકવાદી ટ્રકમાં છુપાઇને ઘાટીમાં ઘૂસવાની ફિરાકમાં હતા. તેમનો પ્રયત્ન કાશ્મીરમાં પ્રવેશ કરવાનો હતી. અત્યાર સુધી 3 આતંકીઓને ઠાર કરાઇ ચૂકયા છે. સુરક્ષાબળોએ ઘટનાસ્થળ પર મોટી માત્રામાં હથિયાર જપ્ત કર્યા છે.

અત્યારે સર્ચ ઓપરેશન ચાલુ છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. જમ્મૂ-શ્રીનગર બાઇવે પર અત્યારે ટ્રાફિકને રોકી દેવાયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસના આઇજી મુકેશ સિંહનું કહેવું છે કે ક્ષેત્રમાં 4થી વધુ આતંકી હોઇ શકે છે. આખા ક્ષેત્રને ઘેરી લેવાયો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે પોલીસે જમ્મુ-શ્રીનગર હાઇવે પર બનેલા ટોલ પ્લાઝા પર શ્રીનગર જઇ રહેલી એક ટ્રકને રોકી તો ટ્રકમાં છુપાયેલા આતંકવાદીઓએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થઇ ગયો જ્યારે એક આતંકવાદીને ઠાર કરાયો. એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

સૂત્રોએ કહ્યું કે મૃત્યુ પામેલા આતંકીએ સેનાની વર્દી પહેરી રાખી હતી. આતંકી હુમલા માટે કાશ્મીર ઘાટીમાં ઘૂસવાની ફિરાકમાં હતા. આ બધાની વચ્ચે જમ્મુ-કાશ્મીર પોલીસના આઇજી મુકેશ સિંહે કહ્યું કે એક આતંકવાદીને ઠાર કરી દીધો છે. 3 આતંકી હજી છે અને એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આની પહેલાં ગુરૂવારના રોજ જમ્મુ-કાશ્મીરના કુપવાડા વિસ્તારમાં સુરક્ષા બળોએ એક આતંકીને પકડી પાડ્યો હતો. ધરપકડ કરાયેલા આતંકી હિઝબુલ મુઝાહિદ્દીનના છે. તેમની ઓળખ ફયાઝ મીર તરીકે થઇ છે.

તો મંગળવારના રોજ ઉતર કાશ્મીરના બારામુલ્લાથી લશ્કર-એ-તૈયબાના આતંકીને ધરપકડ કરી હતી. આ મામલે એક પોલીસ અધિકારીએ કહ્યું કે બાંદીપોર જિલ્લાના હાજિન નિવાસી સજ્જાદ અહમદ ડાર ઉર્ફે અદનાનને બારામુલ્લા સ્થિત પટ્ટનના અંદેરગમ ગામથી પકડી પાડ્યો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular