Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalનવેમ્બરમાં મોંઘવારી દર ઘટીને 5.48 ટકા થયો

નવેમ્બરમાં મોંઘવારી દર ઘટીને 5.48 ટકા થયો

નવી દિલ્હીઃ નવેમ્બરમાં રિટેલ મોંઘવારીનો દર ઘટીને 5.48 ટકા થયો છે, જે આ પહેલાં ઓક્ટોબરમાં 6.21 ટકા હતો. જોકે સતત ત્રીજા મહિને રિટેલ મોંધવારીનો દર પાંચ ટકાની ઉપર રહ્યો છે.

ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો નોંધાતા ભારતનો રિટેલ ફુગાવો નવેમ્બરમાં માસિક ધોરણે ઘટી 5.48 ટકા નોંધાયો છે. શાકભાજી-ફળોના ભાવોમાં ઘટાડાને કારણે નવેમ્બરમાં મોંઘવારીમાં રાહત મળી હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું છે. ખાદ્ય ચીજો પર મોંઘવારી દર ઓક્ટોબરમાં 10.9 ટકા સામે ઘટી નવેમ્બરમાં નવ ટકા થયો છે. રિટેલ બજારમાં ખાદ્ય ચીજોના ભાવમાં કોઈ ખાસ મોટો ઘટાડો નોંધાયો નથી.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર સત્તાવાર આંકડાઓ અનુસાર દેશનો રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે સ્થિર રહ્યો છે. નવેમ્બર,  2023માં રિટેલ ફુગાવો 5.55 ટકા નોંધાયો હતો. ફુગાવાના ઊંચા દરે મોનિટરી પોલિસીમાં અગિયારમી વખત વ્યાજના દરોને યથાવત્ રાખ્યા હતા. અર્થશાસ્ત્રીઓના મતે જાન્યુઆરીથી મોંઘવારીમાં ઘટાડો થવાની શક્યતા જોવા મળી શકે છે. જેથી ફેબ્રુઆરીમાં મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દર 0.25 ટકા ઘટવાની શક્યતા છે.

ખાદ્ય ચીજોમાં રિટેલ મોંઘવારી દર નવેમ્બરમાં 9.04 ટકા નોંધાયો છે. જે ઓક્ટોબરમાં 10.87 ટકા હતો. જોકે વાર્ષિક ધોરણે ખાદ્ય ચીજોનો ફુગાવો હજી પણ વધુ છે. નવેમ્બર, 2023માં તે 8.70 ટકા હતો. NSOમાં જણાવ્યા પ્રમાણે શાકભાજી, કઠોળ-અનાજ, સુગર, ફળો, દૂધ અને દૂધની બનાવટો, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન્સ, મસાલાઓ અને પર્સનલ કેર સહિતની ચીજોના ભાવમાં નોંધનીય ઘટાડો થતાં નવેમ્બર, 2024માં રિટેલ ફુગાવો ઘટ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular