Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsNationalદિલ્હી લિકર કેસમાં કે. કવિતા મુખ્ય ષડયંત્રકારોમાંનાં એકઃ CBI

દિલ્હી લિકર કેસમાં કે. કવિતા મુખ્ય ષડયંત્રકારોમાંનાં એકઃ CBI

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરવામાં આવેલાં કે. કવિતાને CBIએ રાઉઝ એવેન્યુ કોર્ટમાં હાજર કર્યાં હતા. એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે રૂ. 100 કરોડની હેરાફેરી મામલે કે. કવિતાની મહત્ત્વની ભૂમિકા હતી. CBI એ કે. કવિતાની પાંચ દિવસની કસ્ટડી માગી છે. કે. કવિતાની હિરાસતની માગનો વિરોધ તેમના વકીલોએ કર્યો હતો.

CBIએ કોર્ટમાં કહ્યું હતું કે કે. કવિતા મુખ્ય ષડયંત્રકારોમાંનાં એક છે. એક મોટા બિઝનેસમેને કેજરીવાલથી મુલાકાત કરી હતી અને કેજરીવાલે તેમને આબકારી નીતિ દ્વારા સપોર્ટનું આશ્વાસન આપ્યું હતું. તપાસ એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે આ મામલે જોડાયેલા કેટલાય આરોપીઓનાં નિવેદન નોંધ્યાં છે. CBIએ દાવો કર્યો હતો કે એ બેઠક તાજમાં થઈ હતી. કવિતાએ હૈદરાબાદમાં બિઝનેસમેન સાથે મુલાકાત કરી હતી અને વિજય નાયર કવિતા સાથે સંપર્કમાં હતો.

CBIએ ટ્રાયલ કોર્ટમાં સનસનીખેજ દાવો કર્યો હતો. એજન્સીએ દાવો કર્યો હતો કે આરોપી કવિતાઆ પૈસાની ગોઠવણ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ગોવા ચૂંટણી માટે હવાલા દ્વારા પૈસા એકત્ર કરવામાં આવ્યા હતા. વોટ્સએપ ચેટ પણ ફાઇલ કરી છે. એજન્સીએ કહ્યું હતું કે નાણાં AP ગોવાથી જોડાયેલી એક વ્યક્તિને પ્રાપ્ત થઈ હતી.

CBI પછી કે. કવિતાના વકીલોએ પણ દલીલ કરી હતી. તેમના વકીલે કહ્યું હતું કે અમે એક એપ્લિકેશન કરી છે. પહેલાં અમારી માગ પર સુનાવણી થાય, ત્યાર બાદ કવિતાની હિરાસત પર કોઈ આદેશ આપવામાં આવે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular