Saturday, June 14, 2025
Google search engine
HomeNewsNationalઅયોધ્યામાં પાંચ કિમી સુધી દેખાશે દીપોત્સવનો ભવ્ય નજારો

અયોધ્યામાં પાંચ કિમી સુધી દેખાશે દીપોત્સવનો ભવ્ય નજારો

અયોધ્યાઃ રામનગરી અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય દીપોત્સવનું આયોજનભવ્ય અને દિવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી સૌપ્રથમ વાર દીપોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ આયોજન 30 ઓક્ટોબરે થવાનું છે.

અયોધ્યામાં દીપોત્સવની ગ્રીન આતશબાજી પાંચ કિલોમીટર દૂરથી જોઈ શકાશે, આ વખતે જૂના સરયુ પૂલ નીચે ગ્રીન એરિયલ ફાયર ક્રેકર્સ શો કરવામાં આવશે.

આ વર્ષની ઇવેન્ટની મુખ્ય વિશેષતા અયોધ્યાનો પ્રથમ ડ્રોન શો હશે, જે તમને 500 ડ્રોન સાથે 15-મિનિટનું અદભુત પ્રદર્શન આપશે. આ ડ્રોન પ્રસિદ્ધ સરયુ ઘાટ અને રામ કી પૌડી ઉપર આકાશમાં ઊડશે, ત્યાર બાદ ભગવાન રામ, લક્ષ્મણ અને હનુમાન જેવા વિવિધ દેવતાઓની તસવીરો તેમ જ રામાયણના પ્રખ્યાત દ્રશ્યો, જેમ કે રાવણની હાર, પુષ્પક વિમાન અને રામ દરબારની તસવીરો કેપ્ચર કરશે.  આ હવાઈ પ્રદર્શન અત્યાધુનિક ટેક્નોલોજી સાથે ભક્તિનો સમન્વય કરશે. આ દિવાળીમાં ડ્રોન શો અહીંનું મુખ્ય આકર્ષણ હશે, જે ચોક્કસપણે હજારો દર્શકોને આકર્ષિત કરશે.

દીપોત્સવ 2024માં પણ 25 લાખથી વધુ દીવા પ્રગટાવવાના છે અને આ આંકડો એક નવો વિશ્વ રેકોર્ડ બનાવશે. 500 વર્ષની ઐતિહાસિક રાહ બાદ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની સ્થાપના સાથે, આ વર્ષનો તહેવાર અયોધ્યાના લોકો અને વિશ્વભરના ભક્તો માટે વિશેષ મહત્ત્વ ધરાવનાર છે. 28 થી 31 ઓક્ટોબર સુધી ચાલનાર આ કાર્યક્રમમાં પરંપરાગત ધાર્મિક વિધિઓ, સાંસ્કૃતિક પ્રદર્શનો અને આધુનિક આકર્ષણોનું મિશ્રણ જોવા મળશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular