Sunday, May 25, 2025
Google search engine
HomeNewsNationalમથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદઃ ઈદગાહ હટાવવાની અરજી કોર્ટે નકારી

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદઃ ઈદગાહ હટાવવાની અરજી કોર્ટે નકારી

મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરા સ્થિત ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મામલે દાખલ કરાયેલી અરજીને સુનાવણી પછી સિવિલ કોર્ટે કાઢી નાખી હતી. સિવિલ જજ સિનિયર ડિવિઝન છાયા શર્માએ અરજીકર્તાઓએ બધી દલીલો અસ્વીકાર્ય કરી દીધી હતી. વકીલ હરિશંકર જૈન અને વિષ્ણુશંકર જેને 57 પાનાંના દાવામાં 1968ના સમજૂતીને પડકાર આપ્યો હતો, જેને કોર્ટે ફગાવ્યો હતો.  

આ અરજીમાં 13.37 એકર જગ્યાની માલિકીનો હક અને ઇદગાહ હટાવવાની માગની સાથે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આમાં શ્રીકૃષ્ણ જન્મ સ્થાન સેવા સંસ્થાન, ઇદગાહ ટ્રસ્ટ અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા.

ફરિયાદી પક્ષ દ્વારા વરિષ્ઠ હરિશંકર જૈન અને વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે અરજીની સુનાવણી માટે કોર્ટમાં રામ મંદિરથી સંબંધિત મામલે કોર્ટના નિર્ણયના પેરા 116નો હવાલો આપવામાં આવ્યો અને કહ્યું કે મંદિર નિર્માણની સંકલ્પના અમિટ અને કોર્ટના અધિકાર ક્ષેત્રની બહાર છે. સ્વ મદન મોહન માલવીય અને અન્યો દ્વારા લેવામાં આવેલો સંકલ્પ મંદિર નિર્માણ પછી પણ કાયમ છે.

કોર્ટની સુનાવણીમાં શ્રીકૃષ્ણ જન્મસ્થાન અને કટરા કેશવદેવ પ્રાંગણમાં ભગવાન કૃષ્ણનું ભવ્ય મંદિર બનાવવાથી સંબંધિત ઇતિહાસની સિલસિલાબંધ વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનને શાહી ઈદગાહ મેનેજમેન્ટ સમિતિનો કોઈ પણ પ્રકારનો કોઈ હક જ નહોતો. એટલા માટે તેમના દ્વારા કરવામાં આવેલી કોઈ પણ સમજૂતી ગેરકાયદે છે, જેની સાથે ઈદગાહ નિર્માણ માટે કબજો કરેલી જમીન પર એનો કબજો ગેરકાયદે છે.

કૃષ્ણ સખીના રૂપમાં અરજીકર્તા રંજન અગ્નિહોત્રીની માગને ટેકો આપતાં સંપૂર્ણ જમીનનો કબજો શ્રીકૃષ્ણ વિરાજમાનને સોંપવાની તેમણે વિનંતી કરી હતી. જોકે કોર્ટે અરજીને કાઢી નાખી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular