Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalહિમાચલ પ્રદેશમાં મહાપ્રલય, અતિવૃષ્ટિ, ભૂસ્ખલનને કારણે સેંકડો લોકો બેઘર

હિમાચલ પ્રદેશમાં મહાપ્રલય, અતિવૃષ્ટિ, ભૂસ્ખલનને કારણે સેંકડો લોકો બેઘર

શિમલાઃ હિમાચલ પ્રદેશ રાજ્યમાં મહાભયંકર પ્રમાણમાં પૂર અને ભૂસ્ખલનની આફત ત્રાટકી છે. પ્રશાસન દ્વારા બચાવ કામગીરી અને મદદકાર્ય શરૂ કરી દેવામાં આવ્યા છે. મુસળધાર વરસાદને કારણે રાજ્યમાં અનેક સ્થળે અતિવૃષ્ટિ થઈ છે.

રાજધાની શિમલા શહેરમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં આશરે 41 જણના મરણ થયા છે.

પહાડી વિસ્તારોમાં માટીના અનેક ઘરો જમીનદોસ્ત થયા છે. એને કારણે મરણાંક વધવાની આશંકા છે. રાજ્યમાં શિમલા ઉપરાંત મંડી, સોલન જિલ્લાઓમાં આ કુદરતી આફતોને કારણે સૌથી વધારે નુકસાન થયું છે. સેંકડો ઘર જમીનદોસ્ત થતાં અનેક લોકો બેઘર થઈ ગયા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular