Saturday, June 14, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંકટમાં 75 ટકા PF  કેવી રીતે લઇ શકશો?

કોરોના સંકટમાં 75 ટકા PF  કેવી રીતે લઇ શકશો?

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને કારણે આવેલા આર્થિક સંકટને ધ્યાનમાં રાખતાં સરકારે PF ખાતાધારકોને મોટી રાહત આપી હતી. આને લઈને હવે PF જમા કરતી સંસ્થા એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને સુવિધા આપવાનું શરૂ કરી દીધું છે. આ પહેલાં કેન્દ્રીય લેબર મંત્રાલયે આ વિશે એક ગેઝેટ દ્વારા નોટિફિકેશન જારી કર્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારામને કોરોના વાઇરસને લીધે દેશમાં કરવામાં આવેલા લોકડાઉનને લીધે EPFOને નાણાંની તંગી ના પડે એટલા માટે PF ઉપાડવાની છૂટ આપી હતી.

દેશમાં છ કરોડ PF સબસ્ક્રાઇબર્સને લાભ

 

દેશમાં છ કરોડ PF સબસ્ક્રાઇબર્સ છે. તેઓ અકાઉન્ટમાં જમા થયેલી 75 ટકા રકમ અથવા ત્રણ મહિનાની સેલરી અને DA –બેમાંથી જે ઓછું હશે એ તેમના પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડી શકશે. પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કરવામાં આવેલૂ જાહેરાતથી જો ખાતાધારકના દસ્તાવેજ પૂરા હશે તો એને માત્ર ત્રણ દિવસમાં તેના બેન્ક અકાઉન્ટમાં તેની રકમ ટ્રાન્સફર મળશે.

ઓનલાઇન ક્લેમ પણ થઈ શકશે

જોકોઈ PF સબસ્ક્રાઇબર્સનો PF એકાઉન્ટનો યુનિવર્સલ અકાઉન્ટ નંબરથી બેન્ક અને આધારની માહિતી જોડાયેલી હશે તો તમે ખુદ ઓનલાઇન ક્લેમ પણ કરી શકો છો. આને માટે તમારે https://unifiedportal-mem.epfindia.gov.interface/ લિન્ક પર જવું પડશે. આ પ્રોસેસ માટે તમારે તમારા એમ્પ્લોયરની પાસે નહીં જવું પડે. એક્સપર્ટના જણાવ્યા મુજબ તમારા દસ્તાવેજ પૂરા હશે તો માત્ર ત્રણ દિવસની અંદર તમારો ક્લેમની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થશે.

આવા લોકો ઓનલાઇન નહીં કરી શકે ક્લેમ

પ્રોવિડન્ટ કમિશનરનું કહેવું છે કે તેમના દ્વારા દરેક સંભવિત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે PFની પ્રક્રિયા ઓનલાઇન પૂરી કરી શકાય. જોકે કેટલાક કેસમાં લોકોને કેટલુંક ફિઝિકલ કામ પણ કરવું પડે એવી શક્યતા છે. જો તમારું ખાતું UANથી લિન્ક નહીં હોય અથવા KYC તમારી પૂરી નહીં હોય તો તમારે નાણાં કાઢવા માટે એમ્પ્લોયરનો સંપર્ક કરવો પડશે. જોકે આવા મામલામાં પણ EPFOએ ફીલ્ડ ઓફિસર્સને આદેશ કર્યો છે કે લોકોને વધુ હેરાનગતિ ના થાય એ માટે પ્રાથમિકતાને આધારે તેમને મદદ કરવામાં આવે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular