Friday, June 27, 2025
Google search engine
HomeNewsNationalહાઇકોર્ટે કેજરીવાલ, કે. કવિતા પાસે EDની અરજી પર જવાબ માગ્યો

હાઇકોર્ટે કેજરીવાલ, કે. કવિતા પાસે EDની અરજી પર જવાબ માગ્યો

નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે આબકારી નીતિથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાં આદેશ પડાકર આપતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ભૂતપૂર્વ CM કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના અને અને નેતાઓ અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)નાં નેતા કે. કવિતા પાસે જવાબ માગ્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ મનોજકુમાર ઓહરીએ EDની અરજી અને કેસમાં સ્ટેની અરજી પર 40 આરોપીઓને નોટિસ જારી કરી છે. હાઇકોર્ટ આ કેસની આગામી સુનાવણી 30 જાન્યુઆરીએ નક્કી કરી છે.

દિલ્હીના ભૂતપૂર્વ CM કેજરીવાલ, આપ નેતાઓ- મનીષ સિસોદિયા, સંજય સિંહ સહિત અનેક વેપારી આ મામલામાં આરોપીઓમાં સામેલ છે. કોર્ટમાં ED નિર્દેશ આપ્યો હતો કે દસ્તાવેજોનો ડિજિટલ રેકોર્ડ જમા કરાવે.કોર્ટે સૂચિત કર્યું હતું કે નીચલી કોર્ટમાં સંબિત કેસમાં આગામી સુનાવણી 21 ડિસેમ્બરે છે.

બીજી બાજુ, દિલ્હી સરકારે નવેમ્બર, 2021માં આ નીતિ લાગુ કરી હતી, જે પછી ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા પછી સપ્ટેમ્બર, 2022માં એને રદ કરી હતી. લિકર પોલિસી લાગુ કરવામાં અનિયમિતતાને પગલે તપાસ માટે દિલ્હીના રાજ્યપાલ સકસેનાએ CBIને ભલામણ કર્યા પછી એજન્સીએ કેસ નોંધ્યો હતો. આ કેસ મની લોન્ડરિંગ પર આધારિત છે.

CBI અને EDના જણાવ્યાનુસાર લિકર કેસમાં તપાસ કરતા ગેરરીતિ આચરવામાં આવી હતી અને લાઇસન્સધારકોને ગેરકાયદે રીતે લાભ પહોંચાડવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular