Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalહાઇકોર્ટનો આદેશઃ સંદેશખાલી કેસની તપાસ CBI કરશે

હાઇકોર્ટનો આદેશઃ સંદેશખાલી કેસની તપાસ CBI કરશે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના યૌન ઉત્પીડન મામલે હાઇકોર્ટે CBI તપાસના આદેશ આપ્યા છે. હાઇકોર્ટે આદેશમાં કહ્યું હતું કે રાજ્યએ દરેક પ્રકારની મદદ કરવાની જરૂર છે. ત્યાં લોકો CBIને પોતાની ફરિયાદ કરી શકશે. કોર્ટે કહ્યું હતું કે CBIએ પોર્ટલ બનાવવાનું રહેશે. બળાત્કાર, ખેતીની જમીનના બદલામાં બધી ફરિયાદોની તપાસ CBI કરશે.  

કોર્ટની નિગરાનીમાં તપાસ કરવામાં આવશે. કોર્ટે આદેશમાં કહ્યું હતું કે સંદેશખાલી ક્ષેત્રમાં 15 દિવસની અંદર CCTV સ્થાપિત કરવાના રહેશે. 15 દિવસની અંદર LED લાઇટિંગ લગાવવાનો નિર્દેશ છે. કોર્ટે કહ્યું હતું કે સાક્ષીઓને સુરક્ષિત રાખવાની જરૂર છે. આગામી સુનાવણી બીજી મેએ થશે. એ દિવસ CBI પ્રાઇમરી રિપોર્ટ કરશે.

સંદેશખાલીની મહિલાઓએ TMCના નેતાઓ પર યૌન ઉત્પીડન અને જબરદસ્તી જમીન કબજો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં શેખ શાહજહાં, શિબુ હાજરા અને ઉત્તમ સરદાર આરોપી છે. ત્રણની ધરપકડ કરી લીધી હતી. સંદેશખાલીથી જોડાયેલી પાં જનહિત અરજી પર ચીફ જસ્ટિસ TS શિવજ્ઞાનમ અને જસ્ટિસ હિરણ્મય ભટ્ટાચાર્યની બેન્ચે સુનાવણી કરી હતી.

કોર્ટના આદેશ પછી રાજ્ય સરકાર CBI તપાસ અટકાવી નહોતી શકી. રાજ્યથી જોડાયેલા કોઈ પણ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ તપાસ માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવાની રહેશે. જોકે કોલકાતા હાઇકોર્ટના આદેશ પછી હવે એની જરૂર નહીં પડે. આ પહેલાં હાઇકોર્ટે કહ્યું હતું કે સંદેશખાલીનું એક ટકા સત્ય પણ શરમજનક છે. કોર્ટે કહ્યું હતું કે પૂરું વહીવટી તંત્ર અને સત્તાધારી પાર્ટી એના માટે નૈતિક રીતે 100 ટકા જવાબદાર છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular