Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalડો. હર્ષવર્ધને આપી કોરોનાની વેક્સીનને લઈને મહત્વની જાણકારી

ડો. હર્ષવર્ધને આપી કોરોનાની વેક્સીનને લઈને મહત્વની જાણકારી

નવી દિલ્હી. દેશમાં કોરોનાની વેક્સીન તૈયાર કરવા માટે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ હેઠળ કામ ચાલી રહ્યું છે. એક કારગર વેક્સીન બનાવવાનો પ્રયાસ છે. હાલ 14 કંપનીઓ આ કામમાં લાગી ગઈ છે. જેમાંથી 4ની વેક્સીન પ્રી-ક્લીનિકલ ટ્રાયલના એડવાન્સ સ્ટેજમાં છે. 10 વેક્સીનને બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટમાંથી ફંડિગ આપવાની ભલામણ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ન્યૂઝ એજન્સી IANSને  આપેલા ઈન્ટરવ્યૂમાં કોરોના સાથે જોડાયેલા મહત્વના સવાલોના જવાબ આપ્યા હતા.

અમેરિકા, બ્રિટન અને ચીનની સરખામણીમાં ભારતમાં કોરોનાના કેસની સ્થિતિ અંગે ના સવાલનો જવાબ આપતા ડો. હર્ષવર્ધને કહ્યું કે, યોગ્ય સમયે નિર્ણય લેવાથી હાલ સારી સ્થિતિમાં છીએ. 26 મે સુધીના આંકડાઓ પ્રમાણે, ભારતમાં 1 લાખમાંથી 10.7 લોકો સંક્રમિત છે, જ્યારે દુનિયામાં એક લાખની વસ્તીમાં સરેરાશ 69.9 કેસ છે. આપણા અહીંયા લાખની વસ્તીમાં કોરોનાથી મરનાર લોકોની સંખ્યા 0.3 છે, જ્યારે દુનિયામાં 4.4 છે. તાપમાન અને કોરોના સંક્રમણ વચ્ચે કોઈ સંબંધ જોવા મળતો નથી. ગરમ દેશમાં કોરોનાથી ઓછા મોતના ઘણા કારણો હોઈ શકે છે. જેવા કે ઓછી વસ્તી હોવી, યુવાનોની સંખ્યા વધારે હોવી અને ઈન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરનાર લોકોની સંખ્યા ઓછી હોવી.

 

વધુમાં ડો. હર્ષવર્ધને મારો અનુભવ છે કે કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, પણ તેના કારણે મોતનો દર ઓછો થયો છે. ભારતમાં લોકડાઉન અને પબ્લિક હેલ્થ ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર પર ધ્યાન આપવાથી કોરોનાથી મરનારાઓની સંખ્યા ઓછી થવામાં મદદ મળી છે. એવું કહેવું ઉતાવળ ભર્યુ હશે કે વાઈરસ ક્યારે નાબૂદ થશે. સમય સમયે આ વાઈરસ તેની અસર બતાવશે. એટલા માટે આપણે પર્સનલ હાઈજીન અને ફિઝિકલ ડિસટન્સીંગ ધ્યાન રાખવાનું છે.

દિલ્હી, મુંબઈ, આગરા, પશ્વિમ બંગાળ, ઈન્દોર અને અમદાવાદમાં સ્થિતિ વધારે બગડવાના કારણ અંગે સવાલ પુછતા ડો. હર્ષવર્ધને કહ્યું કે, હું રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સતત સંપર્કમાં છું. તેઓ સંક્રમણ અટકાવવાના પૂરતા પ્રયાસ કરી રહ્યા છે. આ એ વાત પર આધારિત છે કે કોમ્યુનિટી સોશિયલ ડિસટન્સીંગ પ્રત્યે કેટલી જવાબદારી નિભાવી રહી છે? આ પ્રયાસોમાં થોડીક પણ બેદરકારી સ્થિતિને બગાડી શકે છે.

હાલ જરૂરિયાત પ્રમાણે ટેસ્ટિંગ કરાઈ રહ્યા છે. જોખમ વાળા અથવા પછી બિમારીના લક્ષણ વાળા લોકોને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. સ્થિતિને ધ્યાનમાં રાખતા સમય સમયે સ્ટ્રેસજી બદલવામાં આવે છે. દરરોજ 1.60 લાખ ટેસ્ટ કરવાની કેપેસિટી છે.અત્યાર સુધી 32 લાખ 44 હજાર 884 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અમે પડકાર સામે લડવા માટે તૈયાર છીએ. અમારી પાસે 2 લાખ 49 હજાર 636 ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ અને 1 લાખ 75 હજાર 982 સેન્ટર છે. 60 હજાર 848 વેન્ટીલેટરના ઓર્ડર આપવામાં આવ્યા છે જે અલગ અલગ તબક્કામાં જૂન સુધી મળી જશે. રાજ્યો પાસે અત્યાર સુધી 32.54 લાખ પીપીઈ કીટ ઉપલબ્ધ થે, 2.23 કરોડનો ઓર્ડર આપી દીધો છે, જેમાંથીલ 89.84 લાખ કીટ આવી ગઈ છે. દેશમાં દરરોજ 3 લાખ કીટ બની રહી છે. અંતે કહ્યું કે, હું પહેલા પણ કહી ચુક્યો છું કે કોરોના સંક્રમણ અટકાવવામાં લોકડાઉન સફળ નિવડ્યું છે, પણ તેની સામાજિક-આર્થિક અસરને સમજવી પણ જરૂરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular