Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalઅનામત મુદ્દે સરકાર ફરી ફસાઈઃ કોર્ટના ચુકાદાનું શું કરવું?

અનામત મુદ્દે સરકાર ફરી ફસાઈઃ કોર્ટના ચુકાદાનું શું કરવું?

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પ્રમોશનમાં અનામત મુદ્દે ઉત્તરાખંડ હાઈ કોર્ટનો નિર્ણય ફેરવી તોળ્યો છે. જેના પર ફરી રાજકારણ ગરમાયું છે. વિપક્ષી કોંગ્રેસની સાથે-સાથે એનડીએ સરકારમાં સામેલ એલજેપી અને જેડીયુ જેવા પક્ષો પણ સરકારને સુપ્રીમ કોર્ટનો ચુકાદો ફેરવી તોળવા માગ કરી રહ્યા છે. આ મુદ્દે સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો. બે વર્ષ પહેલાં પણ એસસી-એસટી એક્ટમાં સુપ્રીમ કોર્ટના બદલાવથી સરકારે તેનો નિર્ણય બદલવો પડ્યો હતો.

સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો?

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઇ કોર્ટના આદેશને કાઢી નાખ્યો હતો, જેમાં કહ્યું હતું કે રાજ્ય સરકારને કહેવામાં આવ્યું હતું કે રાજ્ય પ્રમોશનમાં અનામત આપવાના આંકડા એકત્ર કરે. હાઇકોર્ટે રાજ્ય સરકારને એ માલૂમ કરવા કહ્યું હતું કે એસસી-એસટી કેટેગરીના લોકોનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ છે કે નહીં, જેથી પ્રમોશનમાં અનામત આપી શકાય. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ રાજ્ય સરકારને અનામત આપવાનો નિર્દેશ જારી ના કરી શકે. સુપ્રીમે કહ્યું કે રાજ્ય સરકાર પ્રમોશનમાં અનામત આપવા માટે બંધાયેલી નથી.

અનામત મૌલિક અધિકાર છે?

કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે અનામત મુદ્દો સરકારોને આધીનના હોવો જોઈએ. પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કે સરકારી પદો પર એસસી-એસટી લોકોની નિમણૂક સરકારોની મરજીથી ના હોવી જોઈએ.

ભાજપ-આરએસએસ અનામતની વિરુદ્ધમાં રાહુલ ગાંધી

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કરતાં કહ્યું હતું કે  ભાજપ અને આરએસએસ પરઅનામત આપવાની વિરુદ્ધમાં છે. ભાજપ અને આરએસએસની વિચારધારા અનામત આપવાની વિરુદ્ધ છે. તેઓ ક્યારેય ઇચ્છતા નથી કે એસસી-એસટીની પ્રગતિની થાય. તેઓ સંસ્થાગત માળખાને તોડી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular