Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalમધ્ય-પૂર્વમાંથી શ્રમિકોને પરત લાવવા સરકાર વ્યવસ્થા કરેઃ રાહુલ

મધ્ય-પૂર્વમાંથી શ્રમિકોને પરત લાવવા સરકાર વ્યવસ્થા કરેઃ રાહુલ

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારને મધ્ય-પૂર્વના દેશોમાં ફસાયેલા ભારતીય શ્રમિકોને પરત લાવવા માટે વિમાનની વ્યવસ્થા કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને કારણે મધ્ય-પૂર્વમાં વેપાર-ધંધા બંધ હોવાને કારણે શ્રમિક ત્યાં મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

રાહુલે કર્યું ટ્વીટ

રાહુલે એક ટ્વીટ કરીને કહ્યું છે રે મધ્ય-પૂર્વમાં કોરોના વાઇરસના સંકટ અને વેપાર-ધંધા બંધ થવાને કારણે હજ્જારો ભારતીય શ્રમિકો ઘેરા સંકટમાં મુકાઈ ગયા છે અને ઘરે પાછા ફરવા માટે ઉત્સુક છે. સરકારે આ ભાઈ-બહેનોને મદદ કરવાની જરૂર છે અને તેમને પરત ફરવા માટે વિમાનની વ્યવસ્થા કરવી જોઈએ. અને તેમને ક્વોરોન્ટાઇન કરવા જોઈએ. જો વિશેષ વિમાન દ્વારા ચીન, ઇરાન અને ઇટાલી સહિત અન્ય દેશોમાં ફસાયેલા લોકોને પાછા લાવવામાં આવ્યા છે અને તેમને અલગ-અલગ જગ્યાએ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

દેશમાં કોરોના વાઇરસના કુલ 11,439 કેસ

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા ડેટા મુજબ ભારતમાં કોવિડ-19ના કુલ 11,439 કેસો નોંધાયા છે. આમાંથી 9,756 સક્રિય કેસ છે, જ્યારે 1,305 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે આ રોગે અત્યાર સુધી દેશમાં 377 લોકોનો ભોગ લીધો છે. દેશમાં મહારાષ્ટ્ર સૌથી કોરોનાગ્રસ્ત રાજ્ય છે. અહીં કુલ 2,687 કેસો નોંધાય છે, ત્યાર બાદ નવી દિલ્હીમાં 1,561 કેસ, તામિલનાડુમાં 1,204 કેસ સામે આવ્યા છે.

વિશ્ભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર થઈ ગઈ છે. વિશ્વમાં કોરોના સંક્રમિત દેશોની સંખ્યા 213 છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular