Wednesday, September 10, 2025
Google search engine
HomeNewsNationalગ્લેશિયર તૂટવું એક કુદરતી ઘટનાઃ વાડિયાના વૈજ્ઞાનિકો

ગ્લેશિયર તૂટવું એક કુદરતી ઘટનાઃ વાડિયાના વૈજ્ઞાનિકો

દહેરાદૂનઃ ઉત્તરાખંડના ચમોલીમાં કુદરતે વેરેલા વિનાશનું કારણ ગ્લેશિયર તૂટવું નથી. ગંગા નદીથી કેટલાક કિલોમીટર ઉપર એક વિશાળ ખડક પડ્યા પછી એક લટકતા ગ્લેશિયરના પડવાથી કામચલાઉ જળસંગ્રહ માટેનુ તળાવ તૂટતાં ચમોલી જિલ્લામાં પૂર આવ્યું હતું, એમ વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજીએ કહ્યું હતું. આ સંસ્થાના વૈજ્ઞાનિકોની ટીમે મંગળવારે સંસ્થાના ડિરેક્ટર કલાચંદ સૈનને વચગાળાનો અહેવાલ સોંપતાં પહેલાં ચમોલીમાં ફ્લેશ-ફ્લડ સાઇટની મુલાકાત લીધી હતી.

ચમોલીમાં દુર્ઘટના સ્થળે વૈજ્ઞાનિકોની આ પહેલી ટીમ છે. મનીષ મહેતા અને અમિતકુમારના નેતૃત્વમાં પાંચ વૈજ્ઞાનિકોની એક ટીમે આ વિસ્તારનું નિરીધણ કર્યું હતું અનમે સાંજે તેમણે નિષ્કર્ષ કાઢ્યા હતા, જેમાં તેમણે સેટેલાઇટ ઇમેજરીની સાથે વાસ્તવિક સ્થળે અવલોકનોને પણ સામેલ કર્યાં હતાં, એમ સૈને જણાવ્યું હતું. ટીમને જણાયું હતું કે આ બધું એકસાથે થયું, જેને સ્થાનિક લોકો મૃઘુ ધાની કહે છે, જે ચમોલી જિલ્લાના ઉપરના ભાગે છેલ્લા માનવ વસવાટના રૂપે રૈની ગામથી થોડા કિલોમીટરના અંતરે છે. એ ઊંચાઈ પર એક લટકતું ગ્લેશિયર હતું અને એ ગ્લેશિયરની ઉપર એક મોટો ખડક હતો, જે ઠંડી અને હવામાનમાં વિવિધતાને કારણે તૂટતાં ગ્લેશિયર નીચે ઝરણું પણ તૂટ્યું હતું.

તાજા પડેલા સ્નોને કારણે લટકતા ગ્લેશિયર પર દબાણ થયું હતું. જેથી વધુ પ્રમાણમાં બરફ, માટી સાથે પાણીનો પ્રવાહ વહ્યો હતો, એમ તેમણે કહ્યું હતું. જેવો આ પાણી સાથેનો રગડો અટક્યો પાણીનો પ્રવાહમાં ભારે વધારો થયો અને ડેમ સ્થળ તરફ પાણીની સાથે ક્ષતિગ્રસ્ત થયો હતો, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular