Monday, June 16, 2025
Google search engine
HomeNewsNationalગિરિરાજ સિંહે કહ્યુંઃ હવે આ આંદોલન નથી રહ્યું, સ્યુસાઈડ બોમ્બરનો નવો કાફલો...

ગિરિરાજ સિંહે કહ્યુંઃ હવે આ આંદોલન નથી રહ્યું, સ્યુસાઈડ બોમ્બરનો નવો કાફલો બની રહ્યો છે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે શાહીનબાગમાં થઈ રહેલા નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શનો પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, હવે આ આંદોલન નથી રહ્યું, સ્યુસાઈડ બોમ્બરનો નવો કાફલો બની રહ્યો છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું કે, આ શાહીનબાગ હવે માત્ર આંદોલન નથી રહ્યું. અહીંયા સ્યુસાઈડ બોમ્બરો બની રહ્યા છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તાજેતરમાં જ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર આરોપ લગાવ્યો હતો કે તે જામિયા મિલિયા ઈસ્લામિયા અને એએમયૂ જેવા શૈક્ષણિક સંસ્થાનોમાં દેશ વિરુદ્ધ ઝહેર ઘોળી રહ્યા છે. સાથે જ કહ્યું કે, પાકિસ્તાનનું ગઠન આવા જ લોકોએ કહ્યું છે. સિંહે ટ્વીટ કર્યું હતું, ઓવૈસી જેવા ચરમપંથી જામિયા અને એએમયૂ જેવી સંસ્થાઓમાં દેશ વિરુદ્ધ ઝેર ઘોળીને દેશદ્રોહીઓની સેના તૈયાર કરી રહ્યા છે. ઓવૈસી અને તેમના જેવા અન્ય સંવિધાન વિરોધીઓને રોકવા પડશે. ભારતીય હવે જાગી ઉઠ્યા છે. અમને દબાવો નહી અને તોડો નહી. પાકિસ્તાન આપના માટે બનાવવામાં આવ્યું હતું, અમને શાંતિથી જીવવા દો.

કેન્દ્રીય મંત્રી ઓવૈસીનો વિડીયો ટેગ કર્યો હતો, જેમાં તેઓ લોકસભામાં બોલી રહ્યા હતા અને પ્રદર્શન કરી રહેલા જામિયાના વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપી રહ્યા છે. સાથે જ સરકાર પર અત્યાચાર કરવાનો આરોપ લગાવી રહ્યા છે. સીએએ વિરોધ પ્રદર્શનો અને ઉત્તર પ્રદેશ પોલીસનો સંદર્ભ આપતા ઓવૈસીએ કહ્યુંકે, એક બાળકની આંખ જતી રહી, દીકરીઓને મારવામાં આવી રહી છે અને બાળકો પર ગોળીઓ ચલાવવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular