Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalપૃથ્વીની નજીકથી પસાર થશે વિશાળકાય ઉલ્કાપિંડ

પૃથ્વીની નજીકથી પસાર થશે વિશાળકાય ઉલ્કાપિંડ

નવી દિલ્હી: બ્રહ્માંડમાં અવારનવાર  ખગોળીય ઘટનાઓ થતી હોય છે ત્યારે આગામી 29 એપ્રિલના રોજ પણ આવી એક અનોખી ખગોળીય ઘટના બ્રહ્માંડમાં થવા જઈ રહી છે. આ દિવસે માઉન્ટ એવરેસ્ટની અડધી ઊંચાઇ બરાબર એક ઉલ્કાપિંડ પૃથ્વીની એકદમ નજીકથી પસાર થશે. જો કે ચિંતાની કોઇ વાત નથી કારણ કે નાસાએ સ્પષ્ટ કર્યું છે કે આ પહાડ જેવડો ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાશે નહીં.

આ ઉલ્કાપિંડ 4.1 કિલોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. જે 29મી સવારે 4:56 કલાકે 31320 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની નજીકથી પસાર થશે. આ સમયે તે ધરતીથી 3.9 મિલિયન માઇલ્સ દૂર હશે. લોકડાઉનના સમયમાં તમે પણ આ ખગોળીય ઘટનાને જોવાનું વિચારતા હોવ તો તેના માટે તમારે ટેલિસ્કોપની જરૂર પડશે. નરી આંખે તમે આ નજરો નહીં જોઇ શકો.

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાને આ ઉલ્કાપિંડ વિશે વર્ષ 1998માં માહિતી મેળવી લીધી હતી.ત્યાર પછી વૈજ્ઞાનિકોએ તેને 52766 અને 1998માં ઓઆર-2 નામ આપ્યું હતું. જો કે તેના મોટો આકારના કારણે વૈજ્ઞાનિકો સતત તેના પર નજર રાખતા હતા.

4.5 અબજ વર્ષ પહેલા જ્યારે સૌરમંડળનું નિર્માણ થયું ત્યારે આવા અનેક ઉલ્કાપિંડ કે જે ગ્રહનો આકાર ન લઇ શક્યા અને આકાશમાં તરવા લાગ્યા. મહત્વનું છે કે આ પહેલા પણ અનેક વાર મોટા મોટા ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી પસાર થઇ ચૂક્યા છે. જેણે ખગોળશાસ્ત્રીઓનો ઉત્સાહ વધાર્યો છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular