Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNational'આમજનતાને મુંબઈ લોકલ-ટ્રેનોમાં પ્રવાસની પરવાનગી હમણાં નહીં'

‘આમજનતાને મુંબઈ લોકલ-ટ્રેનોમાં પ્રવાસની પરવાનગી હમણાં નહીં’

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે કોરોનાવાઈરસ રોગચાળાની ત્રીજી લહેર ફેલાવાની સંભાવના હોવાને કારણે મુંબઈમાં લોકલ ટ્રેનોમાં આમજનતાને પ્રવાસ કરવાની હજી પરવાનગી આપવામાં નહીં આવે. ઠાકરેએ આ જાહેરાત આજે સાંગલીમાં પત્રકાર પરિષદમાં કરી હતી.

ઠાકરેએ ઓફિસોના માલિકો અને કંપનીઓની મેનેજમેન્ટોને અપીલ કરી છે કે તેઓ એમના કર્મચારીઓના સમયપત્રકમાં ફેરફાર કરે જેથી ટ્રેનોમાં ભીડ ન થાય.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular