Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalબંધારણના 70 વર્ષઃ શું એ ફક્ત શાસન ચલાવવાની નિયમાવલી જ છે?

બંધારણના 70 વર્ષઃ શું એ ફક્ત શાસન ચલાવવાની નિયમાવલી જ છે?

નવી દિલ્હીઃ ભારતીય સંવિધાનના 70 વર્ષ પૂર્ણ થવાના અવસર પર દેશના વિભિન્ન ક્ષેત્રોમાંથી આવતી હસ્તીઓએ એક પત્ર જાહેર કરીને સ્પષ્ટ સવાલ કર્યો કે, શું સંવિધાન માત્ર પ્રશાસન ચલાવવાની નિયમાવલી છે? તેમણે આ પ્રસંગે લોકોને સંવિધાનના કામકાજનું આત્મ વિશ્લેષણ કરવાની અપીલ પણ કરી છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જે.ચલમેશ્વર, ભારતના મુખ્ય ઈલેક્શન કમિશનર એસ.વાય.કુરેશી સહિત આઠ લોકો દ્વારા ભારતીય સંવિધાનના 70 વર્ષ મહત્વપૂર્ણ ક્ષણ શીર્ષકથી એક પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં ભારતના ગણતંત્ર બનવાના 70 વર્ષ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરતા આત્મ વિશ્લેષણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. સાથે જ સવાલ કરવામાં આવ્યો છે કે શું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે સર્વોપરિ સત્ય અને અહિંસાની વિચારધારા આજે પણ આપણા રાજનૈતિક જીવનનો માર્ગ પ્રશસ્ત કરી રહી છે.

પત્રમાં તમામે કહ્યું કે, સંવિધાનના 70 વર્ષ પૂર્ણ થવા પર અમને અવસર મળ્યો છે કે અમે આની સફળતા પર ખુશ થઈ શકીએ અને સાથે પોતાની ખામીઓનું આત્મવિશ્લેષણ કરી શકીએ. આ પત્રમાં તમામે સવાલ કર્યો છે કે, શું સંવિધાન માત્ર પ્રશાસનિક નિયમોની એક પુસ્તિકા છે જે સરકારોને સત્તાનો દુરુપયોગ કરવાની વૈધતાનો દાવો કરવાનો અધિકાર આપે છે અને નાગરિકોને બીજાના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો પૂર્ણ હક આપે છે?

તેમણે સવાલ કર્યો કે, શું આ પણ કોઈ શ્યાહીથી લખાયેલી કેટલીક લીટીઓ છે કે એક પવિત્ર પુસ્તક છે કે જે જાતિ, ધર્મ, ક્ષેત્ર જાતીયતા અને ભાષાના બંધનોથી ઉપર ઉઠીને શહીદ થયેલા લોકોના રક્તથી લખાઈ છે? પત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમારુ માનવું છે કે પ્રત્યેક પેઢીનું કર્તવ્ય છે કે સતત સંવિધાનના કામકાજનું અવલોકન કરો અને તેના પર વિચારો અને તેના પર ધ્યાન આપો.

પત્રમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે આ અવસર પર આપણે પોતાની સફળતા પર ખુશ થવું જોઈએ, વર્તમાન ચિંતાઓને દૂર કરવી જોઈએ, ધર્મનિરપેક્ષ સમાજના હિતમાં કામ કરવું જોઈએ અને ડોક્ટર ભીમ રાવ આંબેડકર તેમજ પૂર્વજો દ્વારા પ્રસ્તાવનામાં રાખવામાં આવેલા વિચારો/સપનાઓ ના સંવૈધાનિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા જોઈએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular