Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ કોરોનાગ્રસ્ત થયા

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ કોરોનાગ્રસ્ત થયા

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. મુખરજીએ પોતે જ આ જાણકારી એમના ટ્વિટર હેન્ડલ મારફત આપી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં એમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને કોરોના ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા મુખરજી અમુક ઉપચાર માટે હોસ્પિટલમાં ગયા હતા ત્યારે ત્યાં એમની કોરોના વાઈરસ માટેની ચકાસણી પણ કરવામાં આવી હતી. ટેસ્ટ રિપોર્ટમાં એમને કોરોના થયો હોવાનું માલૂમ પડ્યું હતું.

દેશમાં અનેક મોટા નેતાઓ કોરોના બીમારીમાં પટકાયા છે. એમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો પણ સમાવેશ થાય છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular