Monday, May 26, 2025
Google search engine
HomeNewsNationalપહેલીવાર વર્ષગાંઠ પર સંપૂર્ણ બંધ છે પેસેન્જર ટ્રેન

પહેલીવાર વર્ષગાંઠ પર સંપૂર્ણ બંધ છે પેસેન્જર ટ્રેન

પટના: લોકડાઉન વચ્ચે કેટલીક એવી ઘટનાઓ છે જે પ્રથમ વખથ થઈ રહી છે. દેશમાં પ્રથમ યાત્રી ટ્રેન આજના જ દિવસે 16 એપ્રિલ 1853ના રોજ દોડી હતી. મહારાષ્ટ્રના બોરીબંદરથી થાણે સુધી શરુ થયેલી આ ટ્રેને 33.7 કિલોમીટરનું અંતર કાપ્યું હતુ જેમાં સવા કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ટ્રેનમાં સિંધ, સાહિબ અને સુલ્તાના નામના ત્રણ એન્જિનો લાગ્યા હતા અને 14 ડબ્બા જોડેલી આ ટ્રેન 400 મુસાફરોને લઈને ગઈ હતી.

દેશમાં 167 વર્ષ પહેલા શરુ થયેલી રેલવે સેવા આજે કોરોના વાઈરસને કારણે સંપૂર્ણપણે બંધ છે. ભારતીય રેલવેની 12 હજારથી વધુ ટ્રેનોમાં દરરોજના લગભગ અઢી કરોડછી વધુ મુસાફરો સફર કરે છે, આ સંખ્યા વિશ્વના કેટલાક દેશોની કુલ વસ્તી કરતા પણ વધારે છે. 14 લાખ કર્મચારીઓ ધરાવતા ભારતીય રેલવેના આ નેટવર્કને કોરોના વાઈરસને કારણે હવે આગામી 3 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1862માં થયું હતું પટના જંક્શનનું નિર્માણ

પટના જંક્શનને 1862માં બ્રિટિશ ભારતના બેકીપુર જંક્શન તરીકે ખોલવામાં આવ્યું હતું. અહીં રેલવે લાઈનનું નિર્માણ 1855માં શરુ થયું અને 1862માં પૂર્ણ થયું હતું. આ રેલવે લાઈનના નિર્માણ માટે કાચો માલ અને તૈયાર માલ માટે ગંગા નદીના જળ પરિવહનના માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે આ સ્ટેશન પૂર્વ મધ્ય રેલવે ઝોન હેઠળ આવે છે.

ભારતમાં રેલવેનો પ્રસ્તાવ 1844માં એ સમયના ગવર્નર જનરલ લોર્ડ હાર્ડિંગે રાખ્યો હતો. ત્યાર પછી 1851માં રુડકીમાં અમુક નિર્માણકાર્યમાં માલસામાનની હેરફેર માટે રેલગાડીનો ઉપયોગ થયો. 22 ડિસેમ્બર 1851માં રુડકીમાં દેશની પ્રથમ માલગાડી ટ્રેન દોડી હતી. ભારતમાં રેલવેમાર્ગની લંબાઈ 63 હજાર કિલોમીટર કરતા પણ વધારે છે. આઝાદી પછી ભારતમાં રેલમાર્ગનું નિર્માણ ઘણુ ઓછુ થયું. 1951માં ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular