Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsBusinessRBIનાં નિયંત્રણો પછી યસ બેન્કના શેરને રોકાણકારોની 'ના'

RBIનાં નિયંત્રણો પછી યસ બેન્કના શેરને રોકાણકારોની ‘ના’

નવી દિલ્હીઃ યસ બેન્ક પર રિઝર્વ બેન્કે નિયંત્રણો મૂક્યા પછી શેરબજારના રોકાણકારો સતત એને નો કહી રહ્યા છે. ગુરુવારે ટ્રેડિંગ સેશનમાં યસ બેન્કનો શેર 27 ટકા તૂટ્યો હતો, જ્યારે મોર્નિંગ સેશનમાં આ શેર 80 ટકાથી વધુ ગગડ્યો હતો અને 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. બીએસઈ પર આ શેર 82 ટકા સુધી ઘટ્યો હતો, જ્યારે એનએસઈ પર એ શેર 60 ટકા તૂટ્યો હતો.યસ બેન્કના શેરનું એક રૂપિયાનું લક્ષ્ય

યસ બેન્કના શેરો પર બ્રોકરેજ હાઉસિસે રેટિંગ અને ટાર્ગેટ બંને બદલી નાખ્યાં છે. વૈશ્વિક કંપની જેપી મોર્ગને યસ બેન્ક પર અંડરવેઇટ રેટિંગ કર્યું છે અને આ શેરનો ટાર્ગેટ રૂ. 55થી ઘટાડીને એક રૂપિયા કરી દીધું છે. બ્રોકરેજ કંપનીનું કહેવું છે કે બેન્કની નેટવર્થ બગડી છો, જેને કારણે લક્ષ્યાંક ઘટાડવામાં આવ્યો છે. અન્ય એક બ્રોકરેજ મેક્વેરીએ યસ બેન્ક પર કહ્યું છે કે એની વેટવર્થ ખતમ થઈ ગઈ છે. અને એસબીઆઇ સહિત અન્ય બેન્કો એને એક રૂપિયામાં અધિગ્રહણ કરવા ઇચ્છે છે. જ્યારે યુબીએસે યસ બેન્કના શેરોને વેચી નાખવાની સલાહ આપી હતી અને એનું લક્ષ્ય રૂ. 20 થવાની આગાહી કરી છે. જોકે આ લક્ષ્યાંક કરતાં પણ યસ બેન્કનો શેર નીચામાં મળી રહ્યો છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular