Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalમશહૂર ઉર્દૂ શાયર રાહત ઇન્દોરીનું નિધનઃ કેટલાંક યાદગાર સંસ્મરણો

મશહૂર ઉર્દૂ શાયર રાહત ઇન્દોરીનું નિધનઃ કેટલાંક યાદગાર સંસ્મરણો

ઇન્દોરઃ જાણીતા ઉર્દૂ શાયર રાહત ઇન્દોરીનું નિધન થયું છે. તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત હતા. કોવિડ-19ની પુષ્ટિ થયા પછી 70 વર્ષીય રાહત ઇન્દોરીને મોડી રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઇન્દોરના કલેક્ટરે તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમનો ચાહકોની વચ્ચે રાહત સાહબના નામથી લોકપ્રિય રાહત ઇન્દોરીનું અચાનક ચાલ્યા જવું સાહિત્ય જગત ખાસ કરીને ઉર્દૂ શાયરીની દુનિયામાં મોટી ક્ષતિ છે.

તેમણે ખુદે કોરોના પોઝિટિવ હોવાની માહિતી ટ્વિટર દ્વારા આપી હતી. તેમણે કહ્યું હતું કે કોવિડ-19ના પ્રારંભનાં લક્ષણ જોવા મળતાં ગઈ કાલે મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓરબિંદો હોસ્પિટલમાં તેઓ એડમિટ હતા.

મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે રાહત સાહબના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ પ્રદેશ અને દેશની ના પુરાય એવી ખોટ ગણાવી છે. તેમણે શોક સંદેશ ટ્વીટ કર્યો હતો.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે શાયર રાહત ઇન્દોરીના નિધનને સાહિત્ય જગતનું મોટું નુકસાન ગણાવ્યું હતું. તેમણે પણ પોતાનું દુઃખ ટ્વીટ કરીને વ્યક્ત કર્યું છે.

રાહત સાહબ તો દુનિયાને અલવિદા કહી ગયા છે, પણ પાછળ અદબની વિરાસત છોડી ગયા છે, જે હંમેશાં નવી પેઢી માટે કોઈ ખજાનાથી ઓછી નથી.

મોટો શાયર એ છે, જે શેર શાયર તરીકે નહીં, પણ આશિક તરીકે કહે. જ્યારે લોકો રાહત ઇન્દોરી સાહબને સાંભળો કે વાંચો તો તેમનામાં એક શાયર નજરે ચઢે છે, જે પોતાના શેર આશિક તરીકે રજૂ કરે છે. તેઓ મીર અને ગાલિબના ખાનદાનના જરૂર છે, પણ રાહત સાહબની ઓળખ તેમની પોતાની છે, તેમણે તો ખુદ કહ્યું છે.

फिर वही मीर से अब तक के सदाओं का तिलिस्म
हैफ़ राहत कि तुझे कुछ तो नया लिखना था

આવો જાણીએ રાહત સાહબની જિંદગી વિશે કેટલીક વાતો…

1 જાન્યુઆરી, 1950એ રાહત સાહબનો જન્મ થયો હતો. તેઓ હિન્દુસ્તાનની જનતાના દુઃખદર્દને રજૂ કરતા શાયર થયા.

જ્યારે રાહત સાહબના વાલિદ રિફઅત ઉલ્લા 1942માં સોનકછ દેવાસ જિલ્લાથી ઇન્દોર આવ્યા ત્યારે વિચાર્યું નહોતું કે એક દિવસ રાહત આ શહેરની સૌથી મોટી ઓળખ બની જશે. રાહત સાહબનું નાનપણનું નામ કામિલ હતું. ત્યાર બાદ તેમનું નામ રાહત ઉલ્લા કરી દેવામાં આવ્યું હતું. રાહત સાહબના વાલિદની નોકરી જતાં હાલત ખરાબ થઈ જતાં તેમના પરિવારે બેઘર થવું પડ્યું. ત્યાર તેમણે કલમ પકડી અને એને શેરમાં રજૂ કરી હતી…

अभी तो कोई तरक़्की नहीं कर सके हम लोग
वही किराए का टूटा हुआ मकां है मिया   

રાહત સાહબનો એક દિલચશ્પ કિસ્સો

દીપક રુહાનીના પુસ્તકમાં ‘मुझे सुनाते रहे लोग वाकया मेरा’માં એક દિલચશ્પ કિસ્સાનો ઉલ્લેખ છે. રાહત સાહબ નવમા ધોરણમાં હતા. ત્યારે તેમની સ્કૂલ નૂતન હાયર સેકન્ડરી સ્કૂલમાં એક મુશાયરો થવાનો હતો. તેમની ફરજ શાયરોની આવભગત કરવાની હતી. જાંનિસાર અખતર ત્યાં આવ્યા હતા. રાહત સાહબ તેમના ઓટોગ્રાફ લેવા પહોંચ્યા અને કહ્યું કે હું પણ શેર વાંચવા ઇચ્છું છું, એના માટે શું કરવું પડશે.

જાંનિસાર સાહબે કહ્યું કે પહેલા કમસે કમ 5000 શેર યાદ કરો.

રાહત સાહબ બોલ્યા આટલા તો મને હાલ યાદ છે.

જાંનિસાર સાહબે કહ્યું કે તો પછી આગલો શેર જે હશે, એ તમારો હશે.

ત્યાર બાદ જાંનિસાર અખતરે ઓટોગ્રાફ આપતાં પોતાના શેરનો મિસરો લખ્યો-

‘हमसे भागा न करो दूर गज़ालों की तरह’,

રાહત સાહબના મોંમાંથી બીજો મિસરા તરત નીકળ્યો

‘हमने चाहा है तुम्हें चाहने वालों की तरह..’

રાહત ઇન્દોરીની સૌથી મોટી વાત એ છે કે તેઓ સરકારના વિચારોને રજૂ કરતા હતા. શું ઇન્દોર અને શું લખનૌ, શું દિલ્હી કે શું લાહોર-દરેક જગ્યાના લોકોની વાત તેમની શાયરીમાં હતી. તેનું એક ઉદાહરણ એ છે કે વર્ષ 1986માં કરાંચીમાં તેમણે એક શેર વાંચ્યો હતો અને સતત પાંચ મિનિટ સુધી તાલીઓની ગુંજ રહી હતી. એ શેર તેમણે દિલ્હીમાં પણ વાંચ્યો હતો અને ઠીક એવું જ દ્રષ્ય ત્યાં પણ હતું.

अब के जो फैसला होगा वह यहीं पे होगा
हमसे अब दूसरी हिजरत नहीं होने वाली

તેમણે કહ્યું હતું કે શાયર કોઈ કોમનો નથી હોતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular