Thursday, June 12, 2025
Google search engine
HomeNewsNationalવાર્ષિક કરોડો રૂપિયાની આવક ધરાવતા દેશનાં સુપ્રસિદ્ધ મંદિરો

વાર્ષિક કરોડો રૂપિયાની આવક ધરાવતા દેશનાં સુપ્રસિદ્ધ મંદિરો

નવી દિલ્હીઃ દેશમાં લાખો મંદિરો છે. દેશમાં કેટલાય એવાં મંદિરો છે, જ્યાં દર વર્ષે કરોડો રૂપિયાનું દાન આવે છે. લોકો મંદિરોમાં જઈને માનતા માને એ અને એ પૂરી થવા પર પોતાની ક્ષમતા મુજબ મંદિરોમાં રૂપિયા, સોના અને ચાંદી વગેરેનું દાન કરે છે. આ મંદિરો દાનમાં આવેલી રકમ બેન્કમાં જમા કરે છે અથવા ટ્રસ્ટમાં રાખે છે

પદ્મનાભસ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ

કેરળ સ્થિત પદ્મનાભ સ્વામી મંદિર દેશનું સૌથી શ્રીમંત મંદિર છે. આ મંદિર તિરુવનંતપુરમમાં છે. આ મંદિરના ખજાનામાં હીરા,સોનાનાં આભૂષણો અને સોનાની મૂર્તિઓ સામેલ છે. મંદિરની છ તિજોરીઓમાં કુલ 20 અબજ ડોલરની સંપત્તિ છે, જેને લઈને બહુ વિવાદ થયો હતો. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની મોટી સોનાની મૂર્તિ છે, જેની કિંમત રૂ. 500 કરોડ છે.

તિરુપતિ બાલાજી, આંધ્ર પ્રદેશ

દેશના શ્રીમંત મંદિરોમાં બીજા સ્થાને તિરુપતિ બાલાજી મંદિર છે. આ મંદિર દાનના મામલે વિશ્વનું સૌથી શ્રીમંત મંદિર છે. મંદિર પાસે નવ ટન સોનાનો ભંડાર છે. બેન્કોમાં મંદિરના કરોડો રૂપિયા જમા છે. અહીં વાર્ષિક રૂ. 600 કરોડથી વધુનું દાન આવે છે.

સાંઈબાબા મંદિર, શિરડી

મહારાષ્ટ્રના શિરડી સ્થિત સાંઈબાબાનું મંદિર છે. મંદિરના બેન્ક ખાતામાં 380 કિલો સોનું અને 4428 કિલો ચાંદી છે. આ સિવાય બેન્ક પાસે વિદેશ કરન્સી પણ છે. આ મંદિરમાં પ્રતિ વર્ષ આશરે રૂ. 350 કરોડનું દાન આવે છે.

વૈષ્ણોદેવી મંદિર, જમ્મુ

દેશમાં માન્યતાપ્રાપ્ત શક્તિ પીઠ મંદિરોમાંનું એક વૈષ્ણોદેવીનું મંદિર છે. આ મંદિરમાં રૂ. 500 કરોડની કમાણી થાય છે.

સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ

મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર દેશના સુપ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિરમાં દાન અને અન્ય રીતે આશેર વાર્ષિક રૂ. 125 કરોડની આવક થાય છે.

 

 

 

,

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular