Sunday, July 6, 2025
Google search engine
HomeNewsNationalકોરોના-રસી અમુક સપ્તાહમાં તૈયાર થઈ જશેઃ મોદી

કોરોના-રસી અમુક સપ્તાહમાં તૈયાર થઈ જશેઃ મોદી

નવી દિલ્હીઃ આજે સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાણકારી આપી હતી કે દેશના વિજ્ઞાનીઓને ખૂબ જ આત્મવિશ્વાસ છે કે કોરોના રસી અમુક અઠવાડિયામાં જ તૈયાર થઈ જશે. વિજ્ઞાનીઓ તરફથી મંજૂરી મળે કે તરત જ દેશમાં કોરોનાનો રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

પીએમ મોદીએ દેશના અગ્રગણ્ય રાજકીય પક્ષોના 12 જેટલા નેતાઓની બેઠકમાં એમ પણ કહ્યું કે દુનિયાની સૌથી સસ્તી અને સુરક્ષિત કોરોના રસી ભારત બનાવે તેની પર આખી દુનિયાની મીટ મંડાયેલી છે. હાલ આશરે આઠ રસી અજમાયશના જુદા જુદા તબક્કાઓમાં છે.

મોદીએ કહ્યું કે મોદીએ રસીનું વિતરણ અને સંચાલન રાષ્ટ્રીય નિષ્ણાતોના એક ગ્રુપને આપવામાં આવ્યું છે. તેમના તરફથી સલાહ લેવામાં આવશે. રસીનું મોટા પાયે ઉત્પાદન કરવાની ભારતમાં સુવિધાઓ છે. વાસ્તવમાં, બીજા દેશો કરતાં આપણી તૈયારી વધારે સારી છે. રસીની કિંમત શું રાખવી એ વિશે કેન્દ્ર સરકાર તમામ રાજ્ય સરકારો સાથે વાતચીત કરી જ રહી છે. જનતાનાં આરોગ્યને ખાસ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular